Last Updated:
May 5, 2025

Click here to submit your article
વચનામૃતમ્
Per Page :

લોયા ૧૪ : રુચિનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે,”પૂર્વે જે આચાર્ય થઇ ગયા છે તેમની પૃથક્ પૃથક્ રૂચિ છે, તેમાં શંકરસ્વામીને ૧અદ્વૈતજ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ”જીવ, માયા અને પુરૂષોત્તમ એ ત્રણે નિત્‍ય છે, ને પુરૂષોત્તમ છે, તે જીવ માયાના નિયંતા છે, ને સર્વના કારણ છે, ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્‍ય આકાર થકા વિરાજમાન છે, ને સર્વે જે અવતાર તે તેના છે; એવા જે પુરૂષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્‍લભાચાર્યને કેવળ ભકિત ઉપર નિષ્‍ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રૂચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્‍યામાં આવે છે, તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રૂચિ જણાય છે, અને જેમ સોય કેડે દોરો ચાલ્‍યો જાય છે. ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સુંસરો છે, […] read more
0 Views : 219

લોયા ૧૫ : ભૂંગળી તથા ગાયના દૃષ્ટાંતે આત્મદર્શનનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૩ તેરસને દિવસ રાત્રિને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંઘ્‍યો હતો તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગાં કરીને ઓઢયાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ દેશદેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્‍યા જે, ”આ જીવ છે તે અઘ્‍યાત્‍મ, અધિભૂત અને અધિદૈવ ૪પણે કરીને સર્વ દેહમાં નખશિખાપર્યંત૫ વ્‍યાપીને રહ્યો છે અને દેવતા ને ઇન્‍દ્રિયોરૂપે કરીને જીવનું ભોકતાપણું છે પણ દેવતા ઇન્‍દ્રિયોથી પૃથક્પણે ભોકતા નથી.” ત્‍યારે નિત્‍યાનંદસ્વામીએ આશંકા કરી જે, ”હે મહારાજ ! ત્‍યારે એમ કહેવાય છે જે જીવ જે, તે સામાન્‍યપણે સર્વ દેહમાં વ્‍યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે. ત્‍યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્‍યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્‍યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાંચની ભૂમિ હોય તથા સ્‍વચ્‍છ નિર્મળ પાણી હોય ત્‍યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી, એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્‍યૂન […] read more
0 Views : 181

લોયા ૧૬ : વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું

સંવત્ ૧૮૭૭ ના માગસર વદિ ૧૪ ચૌદશને દિવસ સંઘ્‍યા આરતી થયા કેડે શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો.” એમ કહીને પોતેજ પ્રશ્ર્ન પુછયો જે, ”જેને વાસના કુંઠિત ન થઇ હોય, ને જેને વાસના કુંઠિત  થઇ ગઇ હોય, ને જેને વાસના નિમર્ૂળ થઇ ગઇ હોય, તેનાં શાં લક્ષણ છે ?” પછી મુકતાનંદ સ્વામીએ એ પ્રશ્ર્નનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેની વાસના કુંઠિત ન થઇ હોય તેની ઇન્‍દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોટી જાય. તે પાછી વિચારે કરીને પણ નીસરે નહિ, અને જેને કુંઠિત વાસના થઇ ગઇ હોય તેની વૃત્તિ વિષયમાં તત્‍કાળ પ્રવેશ કરે નહિ, અને કદાચિત્‍વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે પણ વિષયમાં આસક્ત થાય નહિ. અને જેને વાસના નિર્મૂળ થઇ ગઇ હોય તેને તો જાગ્રતને વિષે સુષુપ્‍તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે વિષય તે બેય સમાનપણે વર્તે. ત્‍યારે ગોપાળાનંદ સ્વામીએ પુછયું જે, ”વાસના […] read more
0 Views : 245

લોયા ૧૭ : સ્તુતિનિંદાનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ અમાસને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો. ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી. તથા ગરમ પોસની રાતી ડગલી માંહેલી કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી. તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઇ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. એવી રીતે શ્રીજીમહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમે વિરાજમાન હતા. પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્‍યા જે, ”જુવોને ભગવાનની માયાનું બળ કેવું છે જેણે કરી વિપરીતપણું ઘણું થાય છે, કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશે ભૂંડો થઇ જાય છે.” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, ‘આજ તો પ્રશ્ર્ન પુછો તો વાર્તા કરીએ.’ ત્‍યારે નિત્‍યાનંદ સ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્‍તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સુઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ, વિષમ થાય તો પણ સારો ને સારોજ રહે પણ કોઇ રીતે વિપરીત મતિ થાય નહિ. તે શાણે કરીને થાય ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને દેહનો અનાદર હોય, ને દૃઢ આત્‍મનિષ્‍ઠા હોય, ને પંચવિષયમાં વૈરાગ્‍ય હોય અને ભગવાનનો માહાત્‍મ્‍યે સહિત યથાર્થ નિશ્વય હોય, […] read more
0 Views : 207

લોયા ૧૮ : નિશ્વયનું

સંવત્ ૧૮૭૭ ના પોષ સુદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઇ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમયમાં સંઘ્‍યા આરતી તથા સ્‍તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ”કીર્તન ગાઓ.” પછી વાજીંત્ર વજાડીને મુકતાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયાં. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું, અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પુછજ્યો.” એમ કહીને બોલ્‍યા જે, ”ભગવાનનો નિશ્વય થવો તે સૌથી મહા કઠણ છે. તે નિશ્વયની વાર્તા અતિ અટપટી છે માટે કહેતાં બીક લાગે છે જે, ‘શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઇને અવળું પડે ? ને તેણે જે પોતાના અંગની દૃઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રુટી જાય તો તે મૂળગેથી જાય,’ અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતાં ન આવડે તો દુષણ પણ ધણાં આવે, અને આ વાત સમજે નહિ ત્‍યાં લગણ તેના નિશ્વયમાં પણ કાચ્‍યપ ઘણી […] read more
0 Views : 274

પંચાળા ૧ : બુદ્ધિવાળાનું – વિચારને પામ્યાંનું

સંવત ૧૮૭૭ના ફાગણ સુદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મઘ્‍યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયા ઢણાવીને વિરાજમાન હતા. ને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને માથાના ફેંટાનો પેચ જમણી કોરે છૂટો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંઘ્‍યા આરતી થઈ રહી તે કેડે શ્રીજીમહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્‍યા જે, “અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ જે ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્‍ઠા હોય તો પણ જો વિચારને ન પામ્‍યો હોય તો અતિ સારા જે શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્‍દાદિક પંચવિષય તે સરખા થાય નહિ અથવા તેથી અતિશય ઉતારતા પણ થાય નહિ, માટે કયા વિચારને પામે ત્‍યારે અતિ સારા જે પંચવિષય તે અતિશય ભૂંડા થઈ જાય ? એ પ્રશ્ન સર્વે મોટેરા પરમહંસને તથા સર્વે મોટેરા હરિભક્તને અમે પૂછીએ છીએ, તે જેણે જેવે વિચારે કરીને એ સારા પંચવિષયને ભૂંડા પંચવિષય જેવા જાણ્‍યા હોય અથવા ભૂંડાથી પણ અતિશય ભૂંડા જાણ્‍યા હોય તે જે પોતપોતાનો વિચાર તે કહો ? પછી તે સર્વે પરમહંસે તથા સર્વે હરિભકતે પોતપોતાનો વિચાર કહી દેખાડયો. ત્‍યારે […] read more
0 Views : 442

પંચાળા ૨ : સાંખ્ય-યોગનું

સંવત્ ૧૮૭૭ ના ફાગણસુદિ ૭ સાતમને દિવસ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢાળ્‍યો હતો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્‍તક ઉપર બાંઘ્‍યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી પછેડી ઓઢી હતી, અને પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”મોક્ષધર્મનું પુસ્‍તક મંગાવો તો સાંખ્‍યના અઘ્‍યાયની તથા યોગના અઘ્‍યાયની કથા કરાવીએ.” એ વચનને સાંભળીને પુસ્‍તક મંગાવ્‍યું. પછી નિત્‍યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”યોગવાળા છે તે પંચવિશમા જીવ ઇશ્વરને કહે છે અને છવિશમા પરમાત્‍માને કહે છે. અને સાંખ્‍યવાળા છે તે ચોવિશ તત્ત્વને અવાંતર જીવ ઇશ્વરને કહીને પંચવિશમા પરમાત્‍માને કહે છે. તેમાં જે યોગવાળા છે એનો એમ મત છે જે, સુઝે એવો આત્‍મા અનાત્‍માનો વિચાર કરો, સાધન કરો પણ પ્રત્‍યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય, અને સાંખ્‍યવાળાનો એમ મત છે. જે સર્વે દેવ મનુષ્યાદિની જે ગતિઓ તેને જાણીને અને વિષયને વિષે વૈરાગ્‍યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્‍મા તેને જાણે ત્‍યારે મુક્ત થાય. અને એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુકિતનું ગ્રહણ કરવું. તેમાં યોગમતમાં એ દૂષણ છે જે, જીવને પંચવિશમો કહ્યો, તથા ઇશ્વરને પંચવિશમા કહ્યા, અને જીવનો […] read more
0 Views : 373

પંચાળા ૪ : મનુષ્યભાવમાં દિવ્યભાવનું

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્‍તક ઉપર બાંઘ્‍યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ઝીણી ધોળી પછેડી ઓઢી હતી ને હસ્‍તકમળને વિષે તુલસીની માળા ફેરવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”પ્રથમ તો ભગવાનનો નિશ્વય હોય ને ભજનસ્‍મરણ કરતો હોય અને પછી ભગવાનનાં મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્વયમાં સંશય થઇ જાય છે તેનું શું કારણ છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્‍યા પણ થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ ઝાઝીવાર વિચારી રહ્યા ને પછી બોલ્‍યા જે, ”એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, વેદ, પુરાણ, મહાભારત, સ્‍મૃતિઓ, ઇત્‍યાદિક જે શાસ્ત્ર તેને વિષે ભગવાનનું સનાતન અનાદિ દિવ્‍ય એવું જે મૂળરૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે, તે કહ્યું છે જે, ભગવાન કેવા છે ? તો આ ચક્ષુ ઇંદ્રિયે કરીને દીઠામાં આવે છે જે યત્‍િંકચિત્‍રૂપ તે જેવું તેમનું રૂપ નથી, અને શ્રવણે કરીને સાંભળ્‍યામાં આવે છે જે કાંઇ શબ્‍દમાત્ર, તે જેવો એ ભગવાનનો શબ્‍દ નથી, અને ત્‍વચાએ કરીને સ્‍પર્શમાં આવે છે જે સ્‍પર્શ. તે જેવો એનો સ્‍પર્શ નથી, અને […] read more
1 Views : 461
Powered By Indic IME