Last Updated:
May 5, 2025

Click here to submit your article
6 મધ્ય પ્રકરણ
Per Page :

ગઢડા મઘ્ય ૬૫ : અખતરડાહ્યાનું

સંવત્ ૧૮૮૧ના પોષ શુદિ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. ત્‍યારે તાલ પખાજ લઇને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જીવના કલ્‍યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઇ ઠેકાણે મોહ થતો નથી, અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિ:શંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભકિતને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઇને આ સંસારને વિષે જે અખતરડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે અને એમ જાણે જે, આ તો પરમેશ્વર કહેવાય છે તો પણ એને આપણા કરતાં પણ વધુ સંસારને વિષે આસકિત છે. એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે. પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી, એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્‍થ્‍િાતિને પામ્‍યા એવા જે આત્‍મદશર્ી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઇ પદાર્થ દેખીને મોહ થતો નથી, તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેને માયા ને માયાનાં કાર્ય થકી […] read more
0 Views : 138

ગઢડા મઘ્ય ૬૬ : સદ્ગુરુના પ્રશ્નોનું – ગોળો ઝાલ્યાનું

સંવત્ ૧૮૮૧ના પોષ વદિ ૧ પ્રતિપદાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળા પુષ્પના ને રાતી ગુલદાવદીના પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા, ને પીળા પુષ્પનો તોરો પાઘને વિષે વિરાજમાન હતો,અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ  તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ સરોદા ને દુકડ લઇને સંતમંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તનભકિત થઇ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ર્ન પુછવા છે.” એમ કહીને પ્રથમ આનંદસ્વામીને પુછતા હવા જે, “કોઇક એવો પુરૂષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેનેજ દેખે અને બીજો જે પુરૂષ છે તેને તો બુદ્ધિ ઘણી છે, તોપણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિષે ગુણનો ત્‍યાગ કરીને કેવળ દોષ જ દેખે છે, એનું શું કારણ હશે ? જે, થોડી બુદ્ધિવાળોહોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ સુઝતા નથી ?” એ પ્રશ્ર્ન છે. પછી આનંદસ્વામીને જેવો સુઝયો તેવો ઉત્તર કર્યો પણ પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, […] read more
0 Views : 173

ગઢડા મઘ્ય ૬૭ : ગંગાજળિયા કૂવાનું

સંવત્ ૧૮૮૧ના મહા વદિ તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગંગાજળિયા કુવા પાસે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ સાધુ દૂકડ સરોદા લઇને વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભકિત  થઇ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમે સર્વે સંત પ્રત્‍યે પ્રશ્ર્ન કરીએે છીએે જે, ભગવાનનો ભક્ત હોય તે દેહ મુકીને બ્રહ્મરૂપ થઇને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે, જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે ? કેમ જે એ ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્‍વતંત્ર છે ને કાળ, કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે, જેણે કરીને સ્વામીસેવકપણું રહે છે ? એ પ્રશ્ર્ન છે.” પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે સંતે કહ્યું જે, “હે મહારાજ ! તમારા પ્રશ્ર્નનો ઉત્તર તો તમે જ કરશો ત્‍યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર એમ છે જે, ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્‍યા હોય જે, ભગવાન આટલી સામર્થિએ યુક્ત છે અને આટલી શોભાએ […] read more
0 Views : 193
Powered By Indic IME