સંવત્ ૧૮૮૦ના ભાદરવા સુદી ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળું ધોતિયું પહેર્યું હતું, ને ધોળી ચાદર ઓઢી હતી, ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા લઇને ગાવતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો, પ્રશ્ર્ન ઉત્તર કરીએ તો આળસ મટે” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે, “પ્રથમ હું એક પ્રશ્ર્ન પુછું છું જે, આ જીવને વિષે માયાનાં કાર્ય એવાં જે ઇન્દ્રિયો, અંત:કરણ આદિક ચોવીશ તત્ત્વ તે રહ્યાં છે, તે એ તત્ત્વ જડ છે કે ચૈતન્ય છે ?” પછી પરમહંસે કહ્યું જે, ‘એ તત્ત્વ ચૈતન્ય તો ખરાં’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે એ તત્ત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિષે જીવ છે તે ભેળા ચોવીશ તત્ત્વના પણ ચોવીશ જીવ થયા, ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે; ને જે પાપ કરશે તે પણ સર્વેને વહંચાતું ભાગે આવશે, ત્યારે સુખદુ:ખનું જે ભોકતાપણું તે એક જીવને વિષે જ નહિ કહેવાય. અને સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણ એ ત્રણ પ્રકારનાં જે કર્મ તે પણ એક જીવને જ નહિ કહેવાય. અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો […]
read more