સંવત્ ૧૮૭૭ ના પોષ સુદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઇ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમયમાં સંઘ્‍યા આરતી તથા સ્‍તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ”કીર્તન ગાઓ.” પછી વાજીંત્ર વજાડીને મુકતાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયાં. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું, અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પુછજ્યો.” એમ કહીને બોલ્‍યા જે, ”ભગવાનનો નિશ્વય થવો તે સૌથી મહા કઠણ છે. તે નિશ્વયની વાર્તા અતિ અટપટી છે માટે કહેતાં બીક લાગે છે જે, ‘શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઇને અવળું પડે ? ને તેણે જે પોતાના અંગની દૃઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રુટી જાય તો તે મૂળગેથી જાય,’ અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતાં ન આવડે તો દુષણ પણ ધણાં આવે, અને આ વાત સમજે નહિ ત્‍યાં લગણ તેના નિશ્વયમાં પણ કાચ્‍યપ ઘણી […] read more