સંવત્ ૧૮૭૭ ના માગસર સુદિ ૬ છઠ્ઠને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તકે બાંઘ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ”સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ર્ન ઉત્તર કરો” ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”વૈરાગ્ય, જ્ઞાન, ભકિત અને ધર્મ એ ચાર ને ઉપજ્યાનો હેતુ શો છે.? પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, વૈરાગ્ય તો એમ ઉપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે, તે કાળનું સ્વરૂપ તે શું તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે, તથા બ્રહ્માદિક સ્તંબપર્યંત સર્વે જીવના આયુષ્યને જાણે અને એમ જાણીને પિંડબ્રહ્માંડ સર્વે પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્યારે વૈરાગ્ય ઉપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી, આદિક જે, ઉપનિષદ્ તથા ભગવદ્રીતા તથા વાસુદેવમાહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઇત્યાદિક ગ્રંથનું સદ્રુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઉપજે, અને ધર્મ તો એમ ઉપજે, જો યાજ્ઞવલ્કયસ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશરસ્મૃતિ, શંખ-લિખિતસ્મૃતિ, ઇત્યાદિક સ્મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઉપજે. ને તેમાં નિષ્ઠા આવે. અને ભકિત એમ ઉપજે જે, જો ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. તે કેમ જાણે તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની જે […]
read more