Last Updated:
May 5, 2025

Click here to submit your article
4 લોયા પ્રકરણ
Per Page :

લોયા ૯ : ધર્માદિક ચારને ઊપજ્યાના હેતુનું

સંવત્ ૧૮૭૭ ના માગસર સુદિ ૬ છઠ્ઠને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્‍તકે બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો” ત્‍યારે આત્‍માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”વૈરાગ્‍ય, જ્ઞાન, ભકિત અને ધર્મ એ ચાર ને ઉપજ્યાનો હેતુ શો છે.? પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, વૈરાગ્‍ય તો એમ ઉપજે જે, જો કાળનું સ્‍વરૂપ જાણ્‍યામાં આવે, તે કાળનું સ્‍વરૂપ તે શું તો નિત્‍ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્‍યંતિક પ્રલયને જાણે, તથા બ્રહ્માદિક સ્‍તંબપર્યંત સર્વે જીવના આયુષ્યને જાણે અને એમ જાણીને પિંડબ્રહ્માંડ સર્વે પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્‍યારે વૈરાગ્‍ય ઉપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્‍ય, છાંદોગ્‍ય, કઠવલ્લી, આદિક જે, ઉપનિષદ્ તથા ભગવદ્રીતા તથા વાસુદેવમાહાત્‍મ્‍ય તથા વ્‍યાસસૂત્ર ઇત્‍યાદિક ગ્રંથનું સદ્રુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઉપજે, અને ધર્મ તો એમ ઉપજે, જો યાજ્ઞવલ્‍કયસ્‍મૃતિ, મનુસ્‍મૃતિ, પરાશરસ્‍મૃતિ, શંખ-લિખિતસ્‍મૃતિ, ઇત્‍યાદિક સ્‍મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઉપજે. ને તેમાં નિષ્‍ઠા આવે. અને ભકિત એમ ઉપજે જે, જો ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. તે કેમ જાણે તો ખંડ ખંડ પ્રત્‍યે ભગવાનની જે […] read more
0 Views : 299

લોયા ૧૦ : નિર્વિકારી રહ્યાનું

સંવત્ ૧૮૭૭ ના માગસર સુદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજી મહારાજ  ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્‍તકે બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમયમાં નિત્‍યાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”આ જગતમાં કેટલાક મનુષ્યને સ્‍ત્રીયાદિક પદાર્થમાં એવું હેત થાય છે જે, ‘તેનો વિયોગ થયો હોય, તો પ્રાણનો ત્‍યાગ થઇ જાય.’ અને કેટલાકને સ્‍ત્રીયાદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે, માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્‍યાગ ન થાય ને એ બે પ્રકારના જીવ છે તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે, તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમજ જોડાય જે, ‘ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય.’ અને જેને સંસારમાં સાધારણ હેત છે, ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય. તે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિષે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એતો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે, તો જ્યારે જીવ કર્મ કરે છે ત્‍યારે જીવની વૃત્તિનો વેગ ત્રણ પ્રકારે થાય છે, એક મંદ વેગ, બીજો મઘ્‍યમ વેગ, […] read more
0 Views : 387

લોયા ૧૨: છ પ્રકારના નિશ્વયનું – સવિકલ્પ -નિર્વિકલ્પ નિશ્વયનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરા ભક્તના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને બીજાં સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન કર્યો જે ”ભગવાનનો નિશ્વય બે પ્રકારનો છે, એક સવિકલ્‍પ અને બીજો નિર્વિકલ્‍પ, અને તે બેમાં પણ ઉત્તમ, મઘ્‍યમ અને કનિષ્‍ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે. તે બે મળીને છ ભેદ થયા, તેનાં લક્ષણ પૃથક્ પૃથક્ કરીને કહો” પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે  ”સવિકલ્‍પ નિશ્વયમાં કનિષ્‍ઠ ભેદ તો એ છે જે ભગવાન જે તે અન્‍ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિષે પ્રવર્તે ત્‍યાં સુધી તો ભગવાનનો નિશ્વય રહે પણ જો વધારો કરે તો ન રહે, અને મઘ્‍યમ ભેદ તો એ જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિષે અધિક પ્રવર્તે ત્‍યાં સુધી પણ નિશ્વય રહે અને ઉત્તમ ભેદ તો એ જે, ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્‍ત્રી, ક્રોધ, હિંસા ઇત્‍યાદિક ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહિ, કેમ  જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે, ભગવાન તો સર્વના કર્તા છે, ને […] read more
0 Views : 209

લોયા ૧૩ : દેશકાળે પરાભવ ન થાય તેનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૦ દશમીને દિવસ પ્રાત:કાળને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને બીજા ધોળા ફેંટાની બોકાની વાળી હતી ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતોને ચોફાળ ઓઢયો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કહ્યું કે ”મોટેરા મોટેરા પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, કેવો પુરૂષ હોય તેને દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય ? અને સાંભળ્‍યામાં તો એમ આવે છે જે, ‘બ્રહ્માને પણ સરસ્‍વતીને દેખીને મોહ થયો, ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો.’ માટે વિચારીને ઉત્તર કરો; કેમ જે એવા મોટાને પણ દેશકાળાદિકે કરીને પરાભવ થયો.’ પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એનો ઉત્તર એ છે જે નાડી પ્રાણ સંકેલાઇને નિર્વિકલ્‍પ સ્‍થ્‍િાતિએ કરીને શ્રીનારાયણના ચરણારવિંદમાં રહ્યો હોય તો તુચ્‍છ જેવો જીવ હોય તેને પણ દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય. અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય. અને એવી રીતે સ્‍થ્‍િાતિ ન થઇ હોય ને દેહમાં વર્તતા હોય તો […] read more
0 Views : 236

લોયા ૧૪ : રુચિનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે,”પૂર્વે જે આચાર્ય થઇ ગયા છે તેમની પૃથક્ પૃથક્ રૂચિ છે, તેમાં શંકરસ્વામીને ૧અદ્વૈતજ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ”જીવ, માયા અને પુરૂષોત્તમ એ ત્રણે નિત્‍ય છે, ને પુરૂષોત્તમ છે, તે જીવ માયાના નિયંતા છે, ને સર્વના કારણ છે, ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્‍ય આકાર થકા વિરાજમાન છે, ને સર્વે જે અવતાર તે તેના છે; એવા જે પુરૂષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્‍લભાચાર્યને કેવળ ભકિત ઉપર નિષ્‍ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રૂચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્‍યામાં આવે છે, તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રૂચિ જણાય છે, અને જેમ સોય કેડે દોરો ચાલ્‍યો જાય છે. ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સુંસરો છે, […] read more
0 Views : 217

લોયા ૧૫ : ભૂંગળી તથા ગાયના દૃષ્ટાંતે આત્મદર્શનનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૩ તેરસને દિવસ રાત્રિને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંઘ્‍યો હતો તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગાં કરીને ઓઢયાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ દેશદેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્‍યા જે, ”આ જીવ છે તે અઘ્‍યાત્‍મ, અધિભૂત અને અધિદૈવ ૪પણે કરીને સર્વ દેહમાં નખશિખાપર્યંત૫ વ્‍યાપીને રહ્યો છે અને દેવતા ને ઇન્‍દ્રિયોરૂપે કરીને જીવનું ભોકતાપણું છે પણ દેવતા ઇન્‍દ્રિયોથી પૃથક્પણે ભોકતા નથી.” ત્‍યારે નિત્‍યાનંદસ્વામીએ આશંકા કરી જે, ”હે મહારાજ ! ત્‍યારે એમ કહેવાય છે જે જીવ જે, તે સામાન્‍યપણે સર્વ દેહમાં વ્‍યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે. ત્‍યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્‍યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્‍યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાંચની ભૂમિ હોય તથા સ્‍વચ્‍છ નિર્મળ પાણી હોય ત્‍યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી, એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્‍યૂન […] read more
0 Views : 179

લોયા ૧૬ : વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું

સંવત્ ૧૮૭૭ ના માગસર વદિ ૧૪ ચૌદશને દિવસ સંઘ્‍યા આરતી થયા કેડે શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો.” એમ કહીને પોતેજ પ્રશ્ર્ન પુછયો જે, ”જેને વાસના કુંઠિત ન થઇ હોય, ને જેને વાસના કુંઠિત  થઇ ગઇ હોય, ને જેને વાસના નિમર્ૂળ થઇ ગઇ હોય, તેનાં શાં લક્ષણ છે ?” પછી મુકતાનંદ સ્વામીએ એ પ્રશ્ર્નનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેની વાસના કુંઠિત ન થઇ હોય તેની ઇન્‍દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોટી જાય. તે પાછી વિચારે કરીને પણ નીસરે નહિ, અને જેને કુંઠિત વાસના થઇ ગઇ હોય તેની વૃત્તિ વિષયમાં તત્‍કાળ પ્રવેશ કરે નહિ, અને કદાચિત્‍વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે પણ વિષયમાં આસક્ત થાય નહિ. અને જેને વાસના નિર્મૂળ થઇ ગઇ હોય તેને તો જાગ્રતને વિષે સુષુપ્‍તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે વિષય તે બેય સમાનપણે વર્તે. ત્‍યારે ગોપાળાનંદ સ્વામીએ પુછયું જે, ”વાસના […] read more
0 Views : 243

લોયા ૧૭ : સ્તુતિનિંદાનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ અમાસને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો. ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી. તથા ગરમ પોસની રાતી ડગલી માંહેલી કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી. તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઇ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. એવી રીતે શ્રીજીમહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમે વિરાજમાન હતા. પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્‍યા જે, ”જુવોને ભગવાનની માયાનું બળ કેવું છે જેણે કરી વિપરીતપણું ઘણું થાય છે, કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશે ભૂંડો થઇ જાય છે.” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, ‘આજ તો પ્રશ્ર્ન પુછો તો વાર્તા કરીએ.’ ત્‍યારે નિત્‍યાનંદ સ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્‍તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સુઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ, વિષમ થાય તો પણ સારો ને સારોજ રહે પણ કોઇ રીતે વિપરીત મતિ થાય નહિ. તે શાણે કરીને થાય ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને દેહનો અનાદર હોય, ને દૃઢ આત્‍મનિષ્‍ઠા હોય, ને પંચવિષયમાં વૈરાગ્‍ય હોય અને ભગવાનનો માહાત્‍મ્‍યે સહિત યથાર્થ નિશ્વય હોય, […] read more
0 Views : 205
Powered By Indic IME