સંવત્ ૧૮૭૭ના માગસર સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો ફેંટો માથે બાંઘ્યો હતો તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને તે ધોળા ફેંટાનું છોગલું માથે લટકતું હતું ને ચોફાળ ઓઢયો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ર્ન પુછયો જે, ”સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો. ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, ”એકાંતિક પણું એમાં આવે એ અતિશે દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું ? તો ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણે યુક્ત જે ભગવાનની ભકિત કરવી તેને એકાંતિકપણું કહીએ. પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે, જે એક રાખ્યે કરીને સર્વે ધર્મ રહે ? અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા, એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કયું છે, જે આપત્કાળ હોય ને સર્વે જાય, ને જો એક રહે તો સર્વે રહે ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ […]
read more