Last Updated:
May 5, 2025

Click here to submit your article
4 લોયા પ્રકરણ
Per Page :

લોયા ૧ : ક્રોધનું – સંપૂર્ણ સત્સંગ થયાનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક વદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં પરમહંસના ઉતારા મઘ્‍યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી. અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્‍યે બોલ્‍યા જે ”શંકર શબ્‍દનો શો અર્થ છે ?” પછી મુનિ બોલ્‍યા જે ”સુખને કરે તે શંકર કહીએ” પછી એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, આજ પાછલી ચાર ઘડી રાત રહી હતી તે સમે સ્‍વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધાં. તે શિવજી મોટો જબરો નંદીશ્વર તે ઉપર બેઠા હતા. અને શરીરે બહુ પુષ્‍ટ હતા ને ચાલીસ વર્ષની અવસ્‍થા હતી ને મોટી જબરી જટા હતી. ને તે શિવજી ભેળે પાર્વતી હતાં તેણે ધોળાં વસ્ત્ર પહેર્યાં હતાં અને શિવજી મોટા સંતની પેઠે શાંતમૂર્તિ હતા. અને મારે ઉપર તો શિવજીને ઘણું હેત જણાયું તો પણ મારે તો શિવ ઉપર હેત ન જણાયું, કેમ જે હું એમ જાણું છું જે, શિવ તો તમોગુણના દેવતા છે અને આપણે તો શાંતમૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ, તે માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા, શિવ અને ઇન્‍દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેશે નહિ અને તેમાં પણ […] read more
0 Views : 501

લોયા ૨ : વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળાનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કિનખાપ તેની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી અસમાની રંગનો રેંટો સોનેરી તારના ફરતા છેડાનો બાંઘ્‍યો હતો અને કસુંબી રંગનો રેંટો કેડે બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને મુકતાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુકડ, સરોદા, સતાર, મંજીરાદિક વાજીંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્‍તિ થઇ રહી ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ર્ન પુછું છું.” ત્‍યારે મુનિ બોલ્‍યા જે, ”હે મહારાજ ! પુછો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”આ સત્‍સંગમાં હરિભક્તને કયારે મૃત્‍યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્‍યાણ મનાઇ જાય ?” પછી મુકતાનંદ સ્વામીએ જેવો આવડયો એવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ પછી બીજા પરમહંસ બોલ્‍યા જે, ”હે મહારાજ ! એ પ્રશ્ર્નનો ઉત્તર તો તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”તમે જ્યાં સુધી કીર્તન બોલ્‍યા ત્‍યાં સુધી અમે એનો વિચાર કર્યો છે. તે અમારી નજરમાં તો એમ આવ્‍યું છે જે ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્‍યુનો ભય નાશ પામે છે અને […] read more
0 Views : 414

લોયા ૩ : માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્વયવાળાનું

સંવત્ ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં ૧રાત્રિને સમે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્‍સંગીની સભા ભરાઇને બેઠી હતી. તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્‍મ્‍ય જ્ઞાને સહિત નિશ્વય હોય તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્‍મ્‍ય જ્ઞાને સહિત નિશ્વય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્‍યાગ કરે, લોકલાજનો ત્‍યાગ કરે, રાજ્યનો ત્‍યાગ કરે, સુખનો ત્‍યાગ કરે, સ્‍ત્રીનો ત્‍યાગ કરે, અને સ્‍ત્રી હોય તે પુરૂષનો ત્‍યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એક બીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઇ તથા પરવતભાઇ તથા રાજબાઇ તથા જીવુબાઇ તથા લાડુબાઇ તથા મોટાં રામબાઇ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મુળજી બ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઇ ને માતાજી તથા મુકતાનંદ સ્વામી તથા વાળાક દેશનો આહિર પટેલ સામત તથા ગામ માનકુવાના મુળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશના ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્‍યાદિક જે સત્‍સંગી તેમણે ભગવાનને અર્થે […] read more
0 Views : 315

લોયા ૪ : ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક વદિ ૧૪ ચૌદશને દિવસ પહોર એક દિવસ ચઢતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા. અને ધોળો સુરવાલ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી. અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, ”અનંતકોટિ બ્રહ્માંડ છે તે બ્રહ્માંડને વિષે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવીજ દેખાય છે કે નથી દેખાતી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે,”ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિષે સદા વિરાજમાન છે અને મૂળમાયામાંથી ઉપજ્યાં જે અનંતકોટિ પ્રધાન પુરૂષ તે થકી અનંતકોટિ બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઇચ્‍છાએ કરીને તે અનંતકોટિ બ્રહ્માંડને વિષે પોતાના ભક્તને અર્થે અનંતરૂપે દેખાય છે.” પછી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”શ્રીકૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્‍વરૂપ સર્વકાળે સત્‍ય છે અને તેજ ભગવાન કયારેક મત્‍સ્‍ય, કચ્‍છ, વરાહ, નૃસિંહાદિક અનંતરૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું ?” અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્‍યે કલ્‍યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે તો પણ ભગવાન પોતાની મૂર્તિને […] read more
0 Views : 400

વચનામૃત ૫ : ઈંદ્રિયો-અંત:કરણ જીત્યાનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક વદિ અમાસને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, ”કેટલા સંકલ્‍પ કહેવાય ત્‍યારે નિષ્કપટ કહેવાય, ને કેટલા સંકલ્‍પ ન કહેવાય ત્‍યારે કપટી કહેવાય ?” પછી પરમહંસ વતે તેનો ઉત્તર ન થયો. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”પંચવર્તમાન સંબંધી પોતામાં કાચ્‍યપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચ્‍યપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઇક સંતનો અવગુણ પોતાને આવ્‍યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્વયમાં અનિશ્વયનો ઘાટ થયો હોય તે પણ કહેવો, ત્‍યારે તે નિષ્કપટ કહેવાય. અને એ માંહીલો સંકલ્‍પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”એવો કપટી હોય ને તે ડાહ્યો હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખવો ?” ત્‍યારે એનો ઉત્તર પણ પરમહંસને ન આવડયો. ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ”એ તો એમ ઓળખાય જે એનો સહવાસ હોય ને ખાધે-પીધે, બેઠતે-ઉઠતે, ચાલતે-હાલતે, પોતા ભેળો રહેતો હોય ત્‍યારે પોતે તેની ખબર રાખે ને પોતાથી નોખો […] read more
0 Views : 485

લોયા ૬ : સંગ શુદ્ધિનું

સંવત્ ૧૮૭૭ના માગસર સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો ફેંટો માથે બાંઘ્‍યો હતો તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને તે ધોળા ફેંટાનું છોગલું માથે લટકતું હતું ને ચોફાળ ઓઢયો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ”સત્‍સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્‍યું છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો. ત્‍યારે શ્રીજીમહારાજે કર્યો જે, ”એકાંતિક પણું એમાં આવે એ અતિશે દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું ? તો ધર્મ જ્ઞાન અને વૈરાગ્‍ય એ ત્રણે યુક્ત જે ભગવાનની ભકિત કરવી તેને એકાંતિકપણું કહીએ. પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે, જે એક રાખ્‍યે કરીને સર્વે ધર્મ રહે ? અને ભગવાન સંબંધી જે ભજન, સ્‍મરણ, કીર્તન, વાર્તા, એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કયું છે, જે આપત્‍કાળ હોય ને સર્વે જાય, ને જો એક રહે તો સર્વે રહે ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ […] read more
0 Views : 379

લોયા ૭ : ઈંદ્રિયો, અંત:કરણ અને અનુભવ પહોંચ્યાનું

સંવત્ ૧૮૭૭ના માગશર સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાઘનું છોગલું વિરાજમાન હતું તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને તે સમયમાં વચનામૃતનું પુસ્‍તક નિત્‍યાનંદ સ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપયું. પછી તે પુસ્‍તકને જોઇને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, ”આજ તો ભારેભારે પ્રશ્ર્ન પુછો તો વાત કરીએ.” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”શ્રુતિમાં એમ કહ્યું છે જે, “ઋતે જ્ઞાનાન્ન મુકિત:” “તમેવ વિદિત્‍વાતિમૃત્‍યુમેતિ નાન્‍ય: પન્‍થા વિદ્યતેડયનાય ||” એ શ્રુતિમાં એમ કહ્યું છે જે ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્‍યારે જીવનું કલ્‍યાણ થાય છે,’ ત્‍યારે શાસ્ત્રમાં જે બીજાં સાધન કલ્‍યાણને અર્થે બતાવ્‍યાં છે તેનું શું પ્રયોજન છે ? કેમ જે કલ્‍યાણ તો જ્ઞાને કરીને  થાય છે” એવા પ્રશ્ર્નને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જ્ઞાન તે જાણવાનું નામ છે” ત્‍યારે નિત્‍યાનંદ સ્વામીએ આશંકા કરી જે, ”જાણવું એજ જ્ઞાન હોય તો શાસ્‍ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વેનું કલ્‍યાણ થતું નથી.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”શાસ્‍ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્‍યા તેણે કરીને જેમ કલ્‍યાણ નથી, તેમ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્‍યારે   તેમને સર્વે મનુષ્યે પ્રત્‍યક્ષ […] read more
1 Views : 374

લોયા ૮ : ઈન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું – પોતાના અંગના શબ્દો ગ્રહણ કર્યાનું

સંવત્ ૧૮૭૭ ના માગશર સુદિ ૫ પંચમીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં વિરાજમાન હતા. અને ધોળો ફેંટો મસ્‍તકે બાંઘ્‍યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમયને વિષે શ્રીજીમહારાજને મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”જે ભોળો હોય તેને તો કોઇ સ્‍વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ ડાહ્યો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે. ? ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જે ડાહ્યો હોય તેને પોતામાં જે કોઇ અયોગ્‍ય સ્‍વભાવ દેખ્‍યામાં આવ્‍યો ને તેની ઉપર પોતે અતિ દોષબુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્‍વભાવને ટાળ્‍યાનો દાખડો કરતો હોય અને તે સ્‍વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્‍વભાવ કોઇ બીજા સંતમાં દેખાય ત્‍યારે તેનો અભાવ આવે છે. અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્‍વભાવને ટાળે નહિ ને બીજા સંતમાં કાંઇક તે સ્‍વભાવ દેખે તો તેનો અવગુણ લે છે તેને મૂર્ખ કહીએ. ત્‍યાર પછી શ્રીજીમહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે  પ્રશ્ર્ન શીખવવા લાગ્‍યા, ને પોતે ઉત્તર કરવા લાગ્‍યા. તેમાં પ્રથમ તો પોતે એમ  પ્રશ્ર્ન પુછયો જે, ”કામ, ક્રોધ ને લોભાદિક શત્રુનો જે વેગ તેનું જે તીવ્રપણું ને મંદપણું તે બાળ, યૌવન અને વૃદ્ધ તેણે કરીને છે. કેવી રીતે, તો […] read more
0 Views : 328
Powered By Indic IME