Last Updated:
May 5, 2025

Click here to submit your article
3 કારિયાણી પ્રકરણ
Per Page :

કારીયાણી ૯ : પાડાખારનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ૫ પાંચમને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે નિત્‍યાનંદ સ્‍વામી તથા બ્રહ્માનંદ સ્‍વામી પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ”જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મુકે જ નહિ, પાડાની પેઠે રીસ રાખ્‍યાજ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ ?” પછી એ બે બોલ્‍યા જે, ”જે એવો હોય તેને તો સાધુ ન કહેવાય.” પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઇક ભગવદીનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્‍યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેના હૈયામાં ભગવાનની ભકિત હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાયજ નહિ. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્‍યો જે, આ ગોપીઓનાં ચરણરજનાં અધિકારી એવાં જે, વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્‍છ તેને વિષે હું પણ કોઇક થઉ.’ અને શ્રીકૃષ્ણ ભગવાને […] read more
0 Views : 286

કારીયાણી ૧૦ : નાડી જોયાનું -તપનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ૧૦ દશમીને દિવસ રાત્રિને સમે સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાને વિષે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ દશ-બાર મોટેરા સાધુ બેઠા હતા તથા પાંચ-છો હરિભક્ત બેઠા હતા. અને શ્રીજીમહારાજના શરીરમાં કાંઇક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજીમહારાજે મુકતાનંદ સ્‍વામીને કહ્યું જે, ”અમારી નાડી જુવો, શરીરમાં કાંઇક કસર જણાય છે.” પછી મુકતાનંદ સ્‍વામીએ નાડી જોઇને કહ્યું જે, ”હે મહારાજ ! કસર તો બહુ છે.” અને વળી એમ કહ્યું જે, ”હે મહારાજ ! હમણાં સત્‍સંગીને કઠણ કાળ વર્તે છે, કેમ જે, હે મહારાજ ! તમે તો સર્વે સત્‍સંગીના જીવનપ્રાણ છો, તે મહારાજને શરીરે કસર જેવું છે એજ સર્વે સત્‍સંગીને કઠણ કાળ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહા તપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ-ઇંદ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ-ઇંદ્રિયોને કષ્‍ટ થાય એમ વર્ત્યું જોઇએ તો ઇશ્વર ઇચ્‍છાએ જે કાંઇ કષ્‍ટ આવે તેને શીદ ટાળવાને ઇચ્‍છે ? અને વળી ત્‍યાગી સાધુને તો પોતાના મનમાં એમ દૃઢ રૂચિ રાખી જોઇએ જે, ‘મારે તો […] read more
0 Views : 329

કારીયાણી ૧૧ : પ્રેમના લક્ષણનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદી ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ રાત્રિને સમે વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્‍તક ઉપર ધોળી પાઘ બાંધી હતી અને પીળાં ને રાતાં જે ગુલદાવદીનાં પુષ્પ તેના હાર પહેર્યા હતા અને પાઘમાં પીળાં પુષ્પના તોરા લટકતા હતા, અને પોતાની આગળ બે કોરે વાળંદ મશાલ લઇને ઉભા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને સચ્‍ચિદાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે. ”ભગવાનને વિષે પ્રીતિ હોય તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિષે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહિ, એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીયોને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ હતી તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન મથુરાં જવા તૈયાર થયા ત્‍યારે ગોપીયો સર્વે મળીને એમ વિચાર કર્યો જે, ‘આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્‍યાગ કરીને ભગવાનને જોરાઇએ રાખીશું.’ પછી ચાલવા સમે શ્રીકૃષ્ણ ભગવાનનાં નેત્ર સામું જોયું ત્‍યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહિ ત્‍યારે સર્વે ડરીને છેટે રહીયો, અને અંતરમાં એમ બીનીયો જે, જો આપણે ભગવાનના ગમતામાં નહિ રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે,’ એમ વિચારીને કાંઇ કહી શકીઓ નહિ. પછી ભગવાન મથુરાં પધાર્યા […] read more
0 Views : 212

કારીયાણી ૧૨ : કારણ શરીર ટાળ્યાનું – આંબલીના કચૂકાનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદી ૧૫ પુનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને ધોળો ફેંટો બોકાની સહિત બાંઘ્‍યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”પ્રશ્ર્ન ઉત્તર કરો.” પછી મુનિએ માંહોમાંહી ઘણીવાર સુધી પ્રશ્ર્ન ઉત્તર કર્યા, તેમાં સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો, તથા વિરાટ, સૂત્રાત્‍મા અને અવ્‍યાકૃત, એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”કારણ શરીર છે એ જીવની માયા છે, તેજ કારણ શરીર તે સ્‍થૂલ, સૂક્ષ્મરૂપે થાય છે. માટે સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ જીવની માયા છે. તેમજ વિરાટ, સૂત્રાત્‍મા અને અવ્‍યાકૃત એ ઇશ્વરની માયા છે, તે કોઇ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને સંતને વચને કરીને પરમેશ્વરનું સ્‍વરૂપ ઓળખ્‍યામાં આવે ને તે પરમેશ્વરના સ્‍વરૂપનું ઘ્‍યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખાં જેવું થઇ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દૃઢ ચોટી હોય પછી તેને જ્યારે અગ્‍નિમાં શેકે ત્‍યારે તે છાલ દાઝીને ખોખાં જેવી […] read more
0 Views : 226
Powered By Indic IME