સંવત્ ૧૮૭૭ ના આસોવદી ૭ સાતમને દિવસ સાયંકાળને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીકારીયાણી મઘ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને માથે શ્વેત ફેંટો બાંઘ્યો હતો, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”આ શુકમુનિ બહુ મોટા સાધુ છે, અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એમનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ તો પડતો નથી. માટે એતો મુકતાનંદ સ્વામી જેવા છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે; તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી, કાં જે કોઇક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઇને ચાલતો હોય પણ માંહી તો અતિ કામી હોય, તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, ‘આ તો બહુ મોટો સાધુ છે,’ અને કોઇક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઇને અણસમજણવાળો હોય તે એમ કહે જે, ‘આતો અસાધુ છે.’ પણ એ માંહી તો મહાનિષ્કામી હોય માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઇને મનુષ્યની પરીક્ષા થાય નહિ, પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્યારે […]
read more