Last Updated:
May 5, 2025

Click here to submit your article
3 કારિયાણી પ્રકરણ
Per Page :

કારીયાણી ૧ : ઈયળ-ભમરીનું

સંવત્ ૧૮૭૭ ના ભાદરવા સુદિ ૧૨ દ્વાદશીને દિવસ ગામ શ્રી કારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપરપલંગ લાવ્‍યા હતા તે ઢાળ્‍યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાડે સહિત બિછાવ્‍યું હતું ને તેની ઉપર ધોળો તકીયો તથા લાલ મશરૂનાં ઢીંચણીયાં મુકયાં હતાં અને તે પલંગની ઉપર ચારેકોર સોનેરી કસબના સેજબંધ લટકતા હતા, એવી શોભાએ યુક્ત જે તે પલંગ તેની ઉપર શ્રીજીમહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્‍તકે બાંઘ્‍યો હતો, અને સોનેરી છેડાનું શેલું ઓઢયું હતું, ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને શ્રીજીમહારાજના મુખારવિંદરૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઇ રહ્યા હતા. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, ”માંહો માંહી પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે ભૂધરાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”ભગવાનનો નિશ્વય થાય છે તે અંત:કરણમાં થાય છે કે જીવમાં થાય છે ?” ત્‍યારે તેનો ઉત્તર શિવાનંદસ્‍વામીએ કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે. માટે તે બુદ્ધિ મનને વિષે રહી છે, ચિત્તને વિષે રહી છે, અહંકારને વિષે રહી છે, શ્રોત્રને વિષે રહી છે, […] read more
0 Views : 395

કારીયાણી ૨ : શાપિત બુદ્ધિનું

સંવત્ ૧૮૭૭ ના આસો સુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ર્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો અમે એક પ્રશ્ર્ન પુછીએ.” ત્‍યારે સર્વે બોલ્‍યા જે, “પુછો મહારાજ !” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એકની બુદ્ધિ તો એવી છે જે, જે દહાડાથી સત્‍સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો પણ રહે નહિ, ટળી જાય. પણ એમ ને એમ ગુણ અવગુણ આવ્‍યા કરે પણ સત્‍સંગ મુકીને કોઈ દિવસ જાય નહિ, શા માટે જે, એને બુદ્ધિ છે તે એમ જાણે જે, ‘આવા સંત બ્રહ્માંડમાં કયાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી,’ એમ સમજાણું હોય માટે સત્‍સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્વય પણ બેયનો સરખો છે, પણ એકને અવગુણ આવ્‍યા કરે છે ને એકને નથી આવતો, તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે ? એ પ્રશ્ર્ન નાના શિવાનંદ […] read more
0 Views : 360

કારીયાણી ૩ : શુકમુનિ મોટા સાધુ છે – માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો તેનું

સંવત્ ૧૮૭૭ ના આસોવદી ૭ સાતમને દિવસ સાયંકાળને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીકારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને માથે શ્વેત ફેંટો બાંઘ્‍યો હતો, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”આ શુકમુનિ બહુ મોટા સાધુ છે, અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એમનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ તો પડતો નથી. માટે એતો મુકતાનંદ સ્‍વામી જેવા છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, મનુષ્યને પરસ્‍પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે; તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી, કાં જે કોઇક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઇને ચાલતો હોય પણ માંહી તો અતિ કામી હોય, તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, ‘આ તો બહુ મોટો સાધુ છે,’ અને કોઇક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઇને અણસમજણવાળો હોય તે એમ કહે જે, ‘આતો અસાધુ છે.’ પણ એ માંહી તો મહાનિષ્કામી હોય માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઇને મનુષ્યની પરીક્ષા થાય નહિ, પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્‍યારે […] read more
0 Views : 334

કારીયાણી ૪ : જીવ અને સાક્ષીના જાણપણાનું

સંવત્ ૧૮૭૭ ના આસો વદિ ૮ અષ્‍ટમીને દિવસ દોઢ પહોર દિવસ ચઢતે શ્રીજીમહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કયાર્ં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”માંહોમાંહી પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે ગોપાળાનંદસ્‍વામીએ ભજનાનંદસ્‍વામીને પુછયું જે, ”આ દેહને વિષે જીવનું જાણપણું કેટલું છે ? ને સાક્ષીનું જાણપણું કેટલું છે ?” પછી ભજનાનંદસ્‍વામીએ ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”બુદ્ધિ છે તે આ દેહને વિષે નખશિખા પર્યંત વ્‍યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇંદ્રિયોની ક્રિયાને એકકાળાવછિન્ન જાણે છે. તે બુદ્ધિને વિષે જીવ વ્‍યાપીને રહ્યો છે. તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું. અને તે જીવને વિષે સાક્ષી રહ્યા છે, માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું.” ત્‍યારે શ્રીજીમહારાજને નિત્‍યાનંદસ્‍વામીએ પુછયું જે, ”હે મહારાજ ! જે આ જીવને વિષે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તેતો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્‍યાપક કેમ હોય ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”મૂર્તિમાન હોય તે શું વ્‍યાપે નહિ ? જુવોને જ્યારે સ્‍વપ્ન આવે છે ત્‍યારે સ્‍વપ્નમાં ચિત્તને વિષે જે આકૃતિઓ જણાય છે, તે મૂર્તિમાન છે, કે અરૂપ છે ?” ત્‍યારે નિત્‍યાનંદ સ્‍વામીએ […] read more
0 Views : 321

કારીયાણી ૫ : અવતાર ધર્યાના પ્રયોજનનું

સંવત્ ૧૮૭૭ ના આસો વદિ ૧૪ ચૌદશને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ છપરપલંગ ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કયાર્ં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “અમે એક પ્રશ્ર્ન પુછીએ છીએ. પછી મુનિ બોલ્‍યા જે, “પુછો મહારાજ !” પછી શ્રીજી મહારાજે પુછયું જે, “ભગવાન જીવના કલ્‍યાણને અર્થે પૃથ્‍વી ઉપર અવતાર ધારણ કરેછે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્‍યાણ કરવાને સમર્થ નથી ? અને કલ્‍યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે ત્‍યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે.? અને જો અવતાર ધરે ત્‍યારે જ ભગવાનમાં કલ્‍યાણ કરવાની સામર્થી હોય અને અવતાર ધર્યા વિના જીવનાં કલ્‍યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિષે પણ એટલું અસમર્થપણું આવે, ત્‍યારે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્‍યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવનાં કલ્‍યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે. ? એ પ્રશ્ર્ન છે.” પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું કોઇથી સમાધાન ન થયું અને શ્રીજીમહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઇ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને […] read more
0 Views : 298

કારીયાણી ૬ : મત્સરવાળાનું

સંવત્ ૧૮૭૭ ના આસો વદી ૩૦ અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રીકારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ ઓસરીએ દીપમાળા પુરી હતી, અને તે દિપમાળા મઘ્‍યે મંચ બાંઘ્‍યો હતો ને તે મંચ ઉપર છપર પલંગ બિછાવ્‍યો હતો, તે ઉપર સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ વિરાજમાન હતા, અને સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, અને નરનારાયણ સ્‍વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિનખાપની ડગલી પહેરી હતી, અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાઘ બાંધી હતી, અને અસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંઘ્‍યો હતો, અને કંઠને વિષે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને પોતાના મુખાર-વિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી દીવબંદરના હરિભક્ત આવ્‍યા હતા તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજ તે સિંહાસન ઉપરથી ઉતરીને ને તે ભક્તજન સામા જઇને તેની પૂજા અંગીકાર કરી. પછી તેનાં આપેલાં વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા સિંહાસન ઉપર વિરાજમાન થતા હવા. પછી શ્રીજી મહારાજ એમ બોલ્‍યા જે, “આટલાં આટલાં વર્ષ થયાં તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઇ સામા  જઇને લેતા નથી, આજ તો અમારે એ હરિભક્ત ઉપર અતિશે રાજીપો થયો.” પછી મુનિ બોલ્‍યા જે, “એવા જ એ પ્રેમી […] read more
0 Views : 321

કારીયાણી ૭ : ચટકીના વૈરાગ્યનું – આત્યંતિક કલ્યાણનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે ગામ શ્રીકારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પુરી હતી અને તે દીપમાળા મઘ્‍યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્‍યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કયાર્ં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ત્‍યાગી હોય તે તો નિવૃત્તિમાર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રાખે છે. અને જે ગૃહસ્‍થાશ્રમી છે તે તો પ્રવૃત્તિમાર્ગને અનુસર્યા છે માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે માટે તે ગૃહસ્‍થાશ્રમી કેમ સમજે તો ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રહે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ગૃહસ્‍થને તો એમ સમજવું જે, “જેમ પૂર્વે ચોરાસી લાખ જાતનાં મારે માબાપ તથા સ્‍ત્રી છોકરાં થયાં હતાં તેવાં ને તેવાં જ આ દેહનાં પણ છે; ને કેટલાક જન્‍મની મા, બોન, દીકરીઓ તે કેટલીક રઝળતી હશે તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી.’ એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે, તો ગૃહસ્‍થની પણ ત્‍યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે,” પછી એવી રીતે શ્રીજી મહારાજની […] read more
0 Views : 357

કારીયાણી ૮ : સગુણ-નિર્ગુણ સ્વરૂપનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ ! વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસને વિષે ભગવાનનું સગુણ સ્‍વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્‍વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે પુરૂષોત્તમ તેનું નિર્ગુણ સ્‍વરૂપ કેવી રીતે સમજવું, અને સગુણ સ્‍વરૂપ કેવી રીતે સમજવું ? અને તે ભગવાનનું નિર્ગુણ સ્‍વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે, અને તે ભગવાનનું સગુણસ્‍વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”ભગવાનનું નિર્ગુણ સ્‍વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્‍વી આદિક જે સર્વે તત્ત્વ તેનું આત્‍મા છે, અને તે થકી પર જે પ્રધાનપુરૂષ તેનું આત્‍મા છે, અને તે પ્રધાનપુરૂષ થકી પર જે શુદ્ધ પુરૂષ ને પ્રકૃતિ તેનું આત્‍મા છે, અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્‍મા છે, અને એ સર્વે ભગવાનનું શરીર છે, અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે ને ધણો પ્રકાશમાન છે તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશે નિલર્પ છે અને અતિ પ્રકાશે […] read more
0 Views : 279
Powered By Indic IME