Last Updated:
May 5, 2025

Click here to submit your article
9 અંત્ય પ્રકરણ
Per Page :

ગઢડા અંત્ય ૧૭ : ભરતજીના આખ્યાનનું

સંવત્ ૧૮૮૪ના શ્રાવણ શુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીમદ્ભાગવતમાં જેવું ભરતજીનું આખ્‍યાન ચમત્‍કારી છે તેવી તો કોઈ કથા ચમત્‍કારી નથી. કેમ જે, ભરતજીતો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્‍વીનું રાજ્ય ત્‍યાગ કરીને વનમાં ગયા હતા. અને ત્‍યાં ભગવાનનું ભજન કરતાં થકાં મૃગલીના બચ્‍ચાને વિષે પોતાને હેત થયું ત્‍યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્‍યો. માટે અનંત પ્રકારનાં પાપ છે પણ તે સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. માટે જે સમજું  હોય ને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિ બીક લાગે જે, ‘રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય.’ એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્‍યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા, ત્‍યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્‍યવહારમાં ચિત્ત દીધું જ નહિ, ને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે […] read more
0 Views : 231

ગઢડા અંત્ય ૧૮ : વાસના જીર્ણ થયાનું

સંવત્ ૧૮૮૪ના શ્રાવણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકી રહ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજના ભત્રીજા જે રધુવીરજી તેમણે પ્રશ્ર્ન પુછયો જે, “જેવી જાગ્રત અવસ્‍થાને વિષે જીવની સ્‍થ્‍િાતિ છે તેવી સ્‍વપ્ન અવસ્‍થાને વિષે કેમ રહેતી નથી ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જીવ જેવો જાગ્રત અવસ્‍થામાં રહે છે તેવો જ સ્‍વપ્ન અવસ્‍થાને વિષે રહે છે. કેમજે, જાગ્રત અવસ્‍થામાં જેવી વાસના હોય તેવી જ સ્‍વપ્ન અવસ્‍થામાં સ્‍ફુરે છે. ” પછી નિર્લોભાનંદસ્વામીએ પુછયું જે, “હે મહારાજ ! જાગ્રત અવસ્‍થામાં તો કોઈ દિવસ દીઠાંય ન હોય ને સાંભળ્‍યાં પણ ન હોય તેવાં તેવાં પદાર્થ સ્‍વપ્નમાં સ્‍ફુરી આવે છે તેનું શું કારણ હશે ? પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “ન દીઠાં હોય ને ન સાંભળ્‍યાં હોય એવાં જે પદાર્થ સ્‍ફુરે છે. તે તો પૂર્વ જન્‍મનાં જે કર્મ તેની વાસનાએ કરીને સ્‍ફુરે છે.” વળી અખંડાનંદ સ્વામીએ પુછયું જે, “હે મહારાજ ! આ જીવને પૂર્વજન્‍મનાં જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ કયાં સુધી રહે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ જીવને […] read more
0 Views : 224

ગઢડા અંત્ય ૧૯ : ત્યાગીનાં બે કુલક્ષણનું

સંવત્ ૧૮૮૪ના શ્રાવણ વદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે  દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાના ને કણર્િકારના પુષ્પના હાર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જ, “જેણે સંસારનો ત્‍યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે, તે આ સત્‍સંગને વિષે શોભવા દેતાં નથી. તેમાં એક તો કામના અને બીજી પોતાના કુંટુંબીને વિષે પ્રીતિ, અને એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્‍યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખવું જોઈએ. શા માટે જે પંચમહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્‍યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્‍ય જુદો જાણ્‍યો જોઈએ જે, ‘હું તો આત્‍મા છું, અને મારે કોઈ સાથે લેશમાત્ર સંબંધ નથી.’ અને દેહનાં સંબંધી છે તે તો ચોરાસી લાખ જાતની હારે ગણ્‍યાં જોઈએ, અને તે સંબંધીને સત્‍સંગી જાણીને તેનું માહાત્‍મ્‍ય સમજવા […] read more
0 Views : 205

ગઢડા અંત્ય ૨૦ : સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું

સંવત્ ૧૮૮૪ના શ્રાવણ વદિ અમાવાસ્‍યાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ર્ન પુછયો જે, હે મહારાજ ! ૧કાળ તો ભગવાનની શકિત છે, ને કર્મ તો જીવે કર્યાં હોય તે છે, પણ સ્‍વભાવ તે વસ્‍તુગતે શું હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જીવે જે પૂર્વ જન્‍મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપકવ અવસ્‍થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાને વિષે અગ્‍નિ પ્રવેશ થઈ જાય, તેમ પરિપકવ પણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્‍વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.” પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવાં જે કર્મ એને સ્‍વભાવ તથા વાસના કરીને કહોછો એ વાસનાને ટાળ્‍યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ વાસના ટાળ્‍યાનો ઉપાય તો આત્‍મ-નિષ્‍ઠાએ સહિત શ્રીકૃષ્ણભગવાનની ભકિત કરવી એજ ભાસે છે. અને જો આત્‍મનિષ્‍ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણભગવાનની ભકિત હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્‍મનિષ્‍ઠા સહિત ભકિત કરવી એ જ વાસના ટાળ્‍યાનો ઉપાય છે. અને આત્‍મનિષ્‍ઠાવાળાને […] read more
0 Views : 209

ગઢડા અંત્ય ૨૧ : સોનાના દોરાનું – ધર્મમાં ભકિત સરખી ગૌરવતાનું

સંવત્ ૧૮૮૪ના ભાદરવા શુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદસ્વામીને ને શુકમુનિને પ્રશ્ર્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનની જે ભકિત છે તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે. અને જે ધર્મ છે તેણે કરીને તો દેવલોકની પ્રાપ્‍તિ થાય છે ને તે પુણ્‍યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે. અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્‍લાનિ થાય છે ત્‍યારે ત્‍યારે તે ધર્મને સ્‍થાપન કરવાને અર્થે થાય છે, પણ ભકિતના સ્‍થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્‍તિ ભકિતવતે થાય છે તે પ્રાપ્‍તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભકિત સરખી કયે પ્રકારે ધર્મમાં મોટાઈ આવે ? એ પ્રશ્ર્ન છે.” પછી ગોપાળાનંદસ્વામીએ એ પ્રશ્ર્નનો ઉત્તર કરવા માંડયો, તે જે જે વાત કરી તેમાં ધર્મ તે ભકિતનું અંગરૂપ થઈ જાય, પણ કોઈ રીતે ભકિત સરખું ધર્મમાં ગૌરવ આવે નહિ, પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ અતિશય હસતા હવા. અને એમ  બોલ્‍યા જે, “એ પ્રશ્ર્નનો ઉત્તર ધણો કઠણ છે. માટે લ્‍યો. અમે […] read more
0 Views : 187

ગઢડા અંત્ય ૨૨ : સખી – સખાના ભાવનું

સંવત્ ૧૮૮૪ના ભાદરવા વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પાઘને વિષે ધોળા પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા. અને કંઠને વિષે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા  ભરાઈને બેઠી હતી. ને પરમહંસ દૂકડ સરોદા લઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા. તે સમયમાં શ્રીજીમહારાજ અંતરસન્‍મુખ દ્રષ્‍ટિ કરીને વિરાજમાન હતા. પછી શ્રીજીમહારાજ એમ બોલ્‍યા જે, “જેવું પ્રેમલક્ષણા ભકિતએ યુક્ત આ કીર્તનને વિષે હરિજનનું અંગ કહ્યું છે એવું તો ઝીણાભાઈનું અંગ છે. તથા પર્વતભાઈ ને મૂળજી એનાં પણ એવાં અંગ હતાં, માટે અમે અંતરસન્‍મુખ દ્રષ્‍ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્‍સંગમાં એવા અંગવાળા હશે. અને જેને પ્રેમલક્ષણા ભકિતનું અંગ આવે તેને પંચવિષયને વિષે પ્રીતિ ટળી જાય છે અને આત્‍મનિષ્‍ઠા રાખ્‍યા વિનાની જ રહે છે.” પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “નરસિંહ મહેતો તો સખાભાવે શ્રીકૃષ્ણભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે, એ બે પ્રકારના ભક્તમાં કેની ભકિત શ્રેષ્‍ઠ જાણવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “નરસિંહ મહેતો, ગોપીયો ને નારદ સનકાદિક, એમની ભકિતમાં બે પ્રકાર નથી. એ તો એક પ્રકાર જ છે, અને દેહ તો પુરૂષનો ને સ્‍ત્રીનો બેય […] read more
0 Views : 173

ગઢડા અંત્ય ૨૩ : માનસી પૂજાનું

સંવત્ ૧૮૮૫ના આસો શુદિ ૧૫ પૂનમને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ફળિયાની વચ્‍ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્‍યે બોલ્‍યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે નિત્‍યે ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વિકિત છે જે, ઉનાળો, શિયાળો ને ચોમાસું એ ત્રણ ઋતુને વિષે નોખી નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારૂં ટાઢું સુગંધિમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા ને પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો ને ધાટો હોય તે પહેરવા આપવો, તે પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગઅંગને વિષે સુંદર મળિયાગર ચંદન ધસીને વાટકામાં ઉતારી રાખ્‍યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિષે ચચર્ીને લલાટને સારી પેઠે નીરખવું. તથા હાથને વિષે ચચર્ીને હાથને સારી પેઠે નીરખવા, તથા હૃદય, ઉદર, સાથળ, પીંડી એ આદિક જે અંગ તેને વિષે ચંદનનું લેપન કરી કરીને તે તે અંગને નીરખવાં. તથા ચરણાવિંદની ઉપર ને તળે સુંદર કુંકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નીરખવાં, પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે […] read more
0 Views : 167

ગઢડા અંત્ય ૨૪ : સોળ સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું

સંવત્ ૧૮૮૫ના આસો વદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્‍તિનાં જે સાધન તે શાં છે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રદ્ધા, સ્‍વધર્મ, વૈરાગ્‍ય, સર્વપ્રકારે ઈન્‍દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્‍મનિષ્‍ઠા, માહાત્‍મ્‍યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્વળ ભકિત, સંતોષ, નિદર્ંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિષે ગુરૂભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરીયા જે ભગવાનના ભક્ત તેમને વિષે મિત્રભાવ રાખવો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિષે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું, એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિષે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે.” પછી શુકમુનિએ પ્રશ્ર્ન પુછયો જે, “આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે તથાપિ એમને વિષે એવું કયું લક્ષણ છે જે, જેણે કરીને એમ જાણીએ જે એને આપત્‍કાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહિ ડગે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનનાં જે જે નાનાં મોટાં વચન તેની ઉપર નિરંતર જેની દૃષ્ટિ રહે પણ વચન બહાર પગ દેવો પડે […] read more
0 Views : 173
Powered By Indic IME