સંવત્ ૧૮૮૨ના જ્યેષ્ઠ શુદિ ૬ છઠને દિવસ સાંજને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરના ફળિયાને વિષે બાજોઠ ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાઘ બાંધી હતી, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યા હતો, અને પાઘને વિષે મોગરાના પુષ્પનો તોરો ખોશ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”જગતને નાશવંત દેખે છે અને દેહને મુકીને ચેતન જુદો થઈજાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી, અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી, અને ધન, સ્ત્રી, આદિક જે સાંસારીક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી તેનું શું કારણ હશે ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, ”જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થતાં થતાં જેવું અંગ બંધાઈ જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે પણ તે વિના બીજું થતું નથી. ૨અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય […]
read more