Last Updated:
May 5, 2025

Click here to submit your article
વચનામૃતમ્
Per Page :

ગઢડા પ્રથમ – ૧: અખંડ વૃત્તિનું

શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ – શ્રીગઢડા પ્રથમ પ્રકરણમ્ – નિજૈર્વચોડમૃતૈર્લોકેઅતર્પયદ્યો નિજાશ્રિતાન્ | પ્રીતો નઃ સર્વદા સોડસ્તુ શ્રીહરિર્ધર્મનન્દનઃ || ગઢડા પ્રથમ – ૧: અખંડ વૃત્તિનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થિને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ર્ન પુછયો જે “સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે ?” ત્‍યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્‍થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “લ્‍યો અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્‍વરૂપમાં મનની અખંડવૃત્તિ રાખવી તેથી કોઇ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્‍વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્‍તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાની મૂર્તિ છે તેતો ચિંતામણી તુલ્‍ય છે, જેમ ચિંતામણી કોઇક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્‍ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડવૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્‍વરૂપને જો જોવાને ઇચ્‍છે, તો તત્‍કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ […] read more
2 Views : 1840

ગઢડા પ્રથમ – ર. ત્રણ પ્રકારના વૈરાગ્યનું

ગઢડા પ્રથમ – ર. ત્રણ પ્રકારના વૈરાગ્યનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજીમહારાજ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે “હે મહારાજ! ઉત્તમ, મઘ્‍યમ અને કનિષ્‍ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્‍ય તેનાં શાં લક્ષણ છે તે કહો ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે “ઉત્તમ વૈરાગ્‍ય જેને હોય, તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્‍ધ કર્મ વશે કરીને વ્‍યવહારમાં રહે પણ તે વ્‍યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહિ, અને શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્‍ધ અનુસારે પ્રાપ્‍ત થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહિ અને તેનો ત્‍યાગ મોળો ન પડે અને તે વિષયને વિષે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સત્‍શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહિ, તેને ઉત્તમ વૈરાગ્‍યવાળો કહીએ. અને જેને મઘ્‍યમ વૈરાગ્‍ય હોય, તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે […] read more
0 Views : 1574

ગઢડા પ્રથમ – ૩. લીલા ચરિત્ર સંભારી રાખવાનું

ગઢડા પ્રથમ – ૩. લીલા ચરિત્ર સંભારી રાખવાનું સંવત્ ૧૮૭૬ના માગસર સુદિ ૬ છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્‍થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્‍સંગી તેની સાથે હેત રાખવું. અને એ સર્વેને સંભારી રાખવા. તે શા સારૂં જે, કદાપિ દેહ મુકયા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, તો પણ ભગવાને જે જે સ્‍થાનકને વિષે જે જે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્‍સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે, તો એને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે, અને તેનું ઘણું રૂડું થાય, તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ; તથા જન્‍માષ્‍ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્‍સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી, સાધુ , સત્‍સંગીને ભેળા કરીએ છીએ, અને જો કોઇક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્‍મૃતિ થઇ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્‍તિ થાય.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૩|| read more
0 Views : 2560

ગઢડા પ્રથમ – ૪. નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું

ગઢડા પ્રથમ – ૪. નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું સંવત્  ૧૮૭૬ ના માગશર સુદિ ૭ સપ્‍તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વેશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “ભગવાનના ભકતને પરસ્‍પર ઈર્ષ્યા ન કરવી.” ત્‍યારે આનંદાનંદ સ્‍વામી બોલ્‍યા જે “હે મહારાજ ! ઈર્ષ્યા તો રહે છે.” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી, જેમ ‘એક સમયને વિષે નારદજી ને તુંબરૂ એ બે વૈકુંઠને વિષે લક્ષ્મીનારાયણનાં દર્શન કરવા ગયા, તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરૂએ ગાન કર્યુઁ , તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બેય પ્રસન્ન થઇને તુંબરૂને પોતાનાં વસ્ત્ર આભૂષણ આપયાં ત્‍યારે નારદજીને તુંબરૂ ઉપર ઈર્ષ્યા આવી જે, ‘હું તુંબરૂના જેવી ગાનવિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરૂં. ‘પછી નારદજી ગાનવિદ્યા શીખતા હવા, અને ભગવાન આગળ ગાતા હવા, ત્‍યારે ભગવાને કહ્યું જે ‘તમને તુંબરૂના જેવું ગાતાં નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હવા, તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા, એવી રીતે સાત મન્‍વંતર સુધી ગાન વિદ્યા શીખ્‍યા અને ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા, પછી તુંબરૂ પાસે ગાન વિદ્યા શીખ્‍યા અને શ્રીકૃષ્ણ ભગવાન […] read more
1 Views : 1582

ગઢડા પ્રથમ – ૫. ઘ્યાનના આગ્રહનું

ગઢડા પ્રથમ – ૫. ઘ્‍યાનના આગ્રહનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ઘ્‍યાન કરવું અને તે ઘ્‍યાન કરતાં મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તો પણ ઘ્‍યાન કરવું, પણ કાયર થઇને તે ઘ્‍યાનને મુકી દેવું નહિ, એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભકિતએ કરીને ભગવાન એને વશ થઇ જાય છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૫|| read more
0 Views : 1617

ગઢડા પ્રથમ – ૬. વિવેકી અવિવેકીનું

ગઢડા પ્રથમ – ૬. વિવેકી અવિવેકીનું સંવત્ ૧૮૭૬ના  માગશર સુદિ ૯ નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “આ સત્‍સંગમાં જે વિવેકી છે, તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે અને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાનાં હિતકારી માને છે અને દુ:ખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્‍સંગને વિષે મોટયપને પામે છે અને જે અવિવેકી છે, તે તો જેમ જેમ સત્‍સંગ કરે છે અને સત્‍સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે. અને ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્‍સંગમાં પ્રતિષ્‍ઠાહીન થઇજાય છે. માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્‍યાગ કરીને શૂરવીર થઇને ભગવાન અને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્‍સંગમાં મોટયપને પામે છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૬|| read more
0 Views : 1497

ગઢડા પ્રથમ – ૭. અન્વય-વ્યતિરેકનું

ગઢડા પ્રથમ – ૭. અન્‍વય-વ્‍યતિરેકનું સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૦ દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “શાસ્ત્રમાં જ્યાં જ્યાં અઘ્‍યાત્‍મવાતર્ા આવે છે તે કોઇને સમજાતી નથી અને ભ્રમી જવાય છે માટે એ અઘ્‍યાત્‍મવાતર્ા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો જે, સ્‍થૂળ, સૂક્ષ્મ, અને કારણ એ ત્રણ દેહને વિષે એકાત્‍મપણે જે વર્તવું તે એ જીવનું અન્‍વયપણું છે અને એ ત્રણ દેહથી પૃથક્પણે સત્તામાત્ર જે કહેવો, તે જીવનું વ્‍યતિરેકપણું છે તથા વિરાટ, સૂત્રાત્‍મા અને અવ્‍યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઇશ્વરને કહેવા તે ઇશ્વરનું અન્‍વયપણું છે અને એ ત્રણ શરીરથી પૃથક્ અને સત્તામાત્રપણે કહેવા તે ઇશ્વરનું વ્‍યતિરેકપણું છે તથા માયા અને માયાનાં કાર્ય જે અનંતકોટિ બ્રહ્માંડ તેને વિષે વ્‍યાપકપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું અન્‍વયપણું છે અને એ સર્વથી વ્‍યતિરેક સચ્‍ચિદાનંદપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું વ્‍યતિરેકપણું છે તથા અક્ષરબ્રહ્મ, ઇશ્વર, જીવ, માયા અને માયાનાં કાર્ય જે બ્રહ્માંડ, એમને વિષે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્‍વયપણું છે અને એ સર્વથી પૃથક્પણે કરીને પોતાના ગોલોક ધામને વિષે જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા છે એમ […] read more
1 Views : 2291

ગઢડા પ્રથમ – ૮. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યા‍નું

ગઢડા પ્રથમ – ૮. ઇન્‍દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્‍યાનું. સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ઇંદ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણભગવાન અને તેના ભકતની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુઘ્‍ધ થાય છે, અને અનંતકાળનાં જે પાપ જીવને વળગ્‍યાં છે તેનો નાશ થઇ જાય છે અને જો ઇંદ્રિયોની વૃત્તિઓને સ્‍ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંત:કરણ ભ્રષ્‍ટ થાય છે અને કલ્‍યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જેવી રીતે વિષય ભોગવ્‍યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મયર્ાદાને ઉલ્‍લંધન કરીને ભોગવવા નહિ. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્‍યાગ કરવો અને જ્યારે એ કુસંગનો ત્‍યાગ કરીને સાધુનો સંગકરે છે, ત્‍યારે એને દેહને વિષે જે અહંબુઘ્‍ધિ છે તે નિવૃત્તિ પામેછે. અને દેહના સંબંધીને વિષે જે મમત્‍વબુઘ્‍ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્‍યને વિષે વૈરાગ્‍ય થાય છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૮|| read more
0 Views : 2623
Powered By Indic IME