Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭

શ્રીજીમહારાજ કહેતા જે, “ભેંસો, ગાયો, બકરાં આદિકના ટોળામાં એક ચારનારો હોય, તે પોતે એમ સમજે જે આ સર્વે પશુ છે ને હું મનુષ્ય છું; એમ ભગવાનના ભકતને સમજવું જે, વિમુખ સર્વે પશુ છે ને હું ભગવાનનો ભકત મનુષ્ય છું.” ।।૧૭।। read more
0 Views : 162

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮

અને ભગવાનના ભકતનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય; જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા પચાસ આવે તો તેને હઠાવી દે; તેમ ગુણ તો ઘણાયે હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય; ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહિ. ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે. તે જેમ રખાય તેમ બળિયો થાય. તેમાં એક તો આ બધાયે મંદિર કરે ને સત્સંગમાં ન રહે, ને એકે તો એક ઇંટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે એમ સમજણમાં રહ્યું છે. ને ઊતરતાને સંગે ઊતરતો ઊતરતો ઊતરી જાય, જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી  સારુ  ઢેઢ થઇ ગયો તેમ થાય. ।।૧૮।। read more
0 Views : 172

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૯

આ મેડીઓ મળી છે ને સારું સારું ખાવા મળે છે, કે માન મળે છે ઇત્યાદિક મનુષ્યદેહનું ફળ નથી. તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્યદેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. ।।૧૯।। read more
0 Views : 147

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૦

અને એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું. તે શું ? જે, કથાવાર્તા  સાંભળવી, વાચંવું, ધ્યાન કરવું, નામરટણ કરવું, એ આદિકમાં થાક લાગે ત્યારે બીજું કરવું, નીકર મૂઝવણ થાય ને મન જીવને મૂંઝવે એવું છે. ।।૨૦।। read more
0 Views : 147

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૧

સંતનો મહિમા કહ્યો જે, ‘આવા સાધુનાં દર્શન કર્યે ભગવાનના દર્શનનું ફળ થાય છે, ને તેની સેવા કર્યે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે. ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. ।।૨૧।। read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- રર

અને કેટલાક રસોઇ કરે છે, પાણી ભરે છે ને કેટલાક લખે છે, ને ભણે છે, કેટલાક ખડ વાઢવા જાય છે ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિક ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું જે, એ સર્વે દેહનો વ્યવહાર છે તે કયુર્ં જોઇએ, પણ કરવાનું તો બીજું છે. તે શું ? જે મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસના ને જ્ઞાન શીખવું ને સત્સંગ-કુસંગ ઓળખવો ને સત્સંગમાં રહેવાય એવો દઢ પાયો કરવો; ઇત્યાદિક કરવાનું છે તે કરવું. મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે, પણ જ્ઞાન વિના સર્વે કાચું છે. ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે અને શ્રીજીમહારાજ પૂછતા જે, “એને કિયા સાધુ સાથે હતે છે ને કિયા સાધુ પાસે બેઠક-ઊઠક છે ?” એમ તપાસ કરવાનું કહેતા. ।।૨૨।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૩

અને “બકરાં, ગાયો, ભેંસો ને ઊંટ એ સર્વે વાડામાં રહે પણ વાઘ હોય તે વાડામાં પૂરાય નહિ, તેમ મુમુક્ષુ હોય તે કોઇ મતમાં કે વિષયમાં બંધાઇ રહે નહિ.” એમ મહારાજ કહેતા. ને શ્રીજીમહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા, તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા ? માટે બુદ્ધિ તો એટલી જ જે, મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહિ. ને મહારાજ કહેતા જે, ‘નાથભકત  બુદ્ધિવાળા છે ને દીવાનજી  મૂર્ખ છે. ને વ્યવહાર છે તે તો તાજખાના જેવો છે, તે તો સુધર્યો તોપણ બગડેલો જ છે, તેમાં કાંઇ સાર નથી.’ તે ઉપર સુરતના ખાડાનું  દષ્ટાંત દીધું. ।।૨૩।। read more
0 Views : 117

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર૪

સર્વ ક્રિયા કરવામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય; ને સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો પદાર્થે કરીને થાતો નથી. ને જે એક ચેલામાં બંધાય તે પાંચ-દશમાં કેમ ન બંધાય ? ને જે ઘણા માણસમાં પણ ન બંધાય એ તો અતિ સમર્થની વાત છે. ।।૨૪।। read more
0 Views : 117
Powered By Indic IME