Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૬

જેને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહિ ને દુઃખ રહે છે એટલી સત્સંગ કરવામાં કસર છે અને સત્સંગ કરે છે તેને કેટલાક પ્રકારના નાના ને મોટા મોસલ ઊઠે છે; તેની વિકિત જે, તમાકુ ખાવી, પીવી ને સૂંઘવી, ને ડાકલાં, જૂગટું, ભવાયા, બજાણિયાં ને ગરીબ વર્ણનો માણસ ઘોડું રાખતો હોય, એ આદિક નાના મોસલ ને વ્યભિચાર, ચોરી, દારૂ, માંસ, અફીણ એ આદિક મોટા મોસલ; તે સર્વ પ્રકારનું ખર્ચ ન થાય તથા કોઇ પ્રકારનો દંડ ભરવો ન પડે, ને બાકી  કેટલોક વિવેક આવે, તેથી વ્યવહાર કરતાં આવડે જે, કમાવું- ખર્ચવું તે સર્વેને વિચારીને કરે. ।।૧૮૬।। read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૭

પ્રથમના કરતાં આજ કેટલુંક દેશકાળનું સાનુકૂળ છે ને મોરે તો કટક આવતાં, હિમ પડતાં, કાળ પડતાં, તીડ આવતાં ને ચોર ને ધાડાં પડતાં ને ટૂંટિયું; એ સર્વે ઇતિઓ કહેવાય. ।।૧૮૭।। read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૮

નાના ગામમાં લાખ રૂપિયાની હૂંડી લખનાર ન મળે, તે તો શહરે માં મળે, ને કરોડ રૂપિયાની હુંડી તો કોઇક બહુ મોટા શહરે માં મળે; તેમ અતિ ઉત્તમનો સગં ઝાઝે ઠેકાણે મળે નહિ ને તે મળ્યા વિના અતિ ઉત્તમ જ્ઞાન થાય નહિ. ને મોટાની દષ્ટિએ આ લોકનો વ્યવહાર તો કીડીઓ ને પશપુ ક્ષીના જેવો છે. ।।૧૮૮।। read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૯

અને પરલોકમાં જાવું છે એવો તો કોઇ મનસૂબો કરતા જ નથી, પણ આંહીં તો નહિ જ રહેવાય ને આ લોકમાં તો જાણીએ આવ્યા જ નથી એવું કરી નાખવું ને છેલ્લો જન્મ કરી નાખવો. તે છેલ્લો જન્મ તે શું ? જે,‘કયાંયે વાસના રહેવા દેવી નહિ. ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે, પણ એ તો નહિ રહે ને ગમે એટલાં કામ કરશું તોપણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ પણ મૂકવા છે ને સાધુ થાવું છે, તે સારુ કથા, વાર્તા, સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે.’ ।।૧૮૯।। read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૯૦

ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ ત્રણ વાતમાં જ માલ છે એવો બીજી કોઇ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે તો જેમ કોદાળી, પાવડા ને દાતરડાં તેને ઠેકાણે છે, મોટાની તો એમ સમજણ છે. ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી. ।।૧૯૦।। read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૯૧

અને ગુણમાં દોષ રહ્યાં છે, તે શું ? જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે, ઇત્યાદિક બહુ વાત છે, તે અવશ્ય સમજવાની છે. ।।૧૯૧।। read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૯ર

અને સ્વભાવનું બળ સર્વ કરતાં અધિક છે. તે કેમ ? જે વિષયના સંકલ્પ થાય એ તો વાસના કહેવાય, પણ ભગવાનની સ્મૃતિ કરતાં જે સંકલ્પ થાય તે સર્વ સ્વભાવ કહેવાય. ।।૧૯૨।। ઈતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીએ કરેલી વાતોમાં સંત-સમાગમનું મુખ્યપણું કહ્યું એ નામે ત્રીજું પ્રકરણ સમાપ્ત. read more
0 Views : 119
Powered By Indic IME