જેને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહિ ને દુઃખ રહે છે એટલી સત્સંગ કરવામાં કસર છે અને સત્સંગ કરે છે તેને કેટલાક પ્રકારના નાના ને મોટા મોસલ ઊઠે છે; તેની વિકિત જે, તમાકુ ખાવી, પીવી ને સૂંઘવી, ને ડાકલાં, જૂગટું, ભવાયા, બજાણિયાં ને ગરીબ વર્ણનો માણસ ઘોડું રાખતો હોય, એ આદિક નાના મોસલ ને વ્યભિચાર, ચોરી, દારૂ, માંસ, અફીણ એ આદિક મોટા મોસલ; તે સર્વ પ્રકારનું ખર્ચ ન થાય તથા કોઇ પ્રકારનો દંડ ભરવો ન પડે, ને બાકી કેટલોક વિવેક આવે, તેથી વ્યવહાર કરતાં આવડે જે, કમાવું- ખર્ચવું તે સર્વેને વિચારીને કરે. ।।૧૮૬।।
read more