Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૮

મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ-દુઃખ આવે, તેનો તો નિર્ધાર નહિ, બાકી તેને દિન-દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય, ને દહાડે દહાડે વધતો જાય એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે. ને જેણે સ્વભાવ મૂકયા હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય, તે સર્વે ઉપર મોટાની દષ્ટિ રહ્યાં કરે. ને એક તો સો જન્મે એકાંતિક થાવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઊતરતાનો સંગ થાય તો સો જન્મ ધરવા પડે. તેમાં દષ્ટાંત જે, જેમ દસ મણ પાણા સાથે એક મણ લાકડું બાંધે તે લાકડાંને બુડાડે, ને દસ મણ લાકડાં સાથે એક મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે. ।।૧૭૮।। read more
0 Views : 68

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૯

આ તો નિયમે કેટલુંય વર્તાય છે, પણ સર્વ વાતની છૂટી મૂકે જે, ‘જેમ જેને ફાવે એમ વર્તવું’ એવી આજ્ઞા થાય, ત્યારે કેટલું વર્તાય ? એમ પોતાનો તપાસ કરવો. ।।૧૭૯।। read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૦

નાના ખાતરાનું પાણી મોટી નદીમાં ભળે ને તે નદી સમદ્રુ માં ભળે. તેનો સિદ્ધાતં જે, અલ્પ જેવો જીવ હોય તે પણ મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે એવો મોટાનો પ્રતાપ છે. ।।૧૮૦।। read more
0 Views : 69

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૧

અને ત્યાગીએ એક વખત ખાવું પછી બીજું જે મળે તે ત્યાગ કરવું તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે.।।૧૮૧।। read more
0 Views : 75

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮ર

અને ટોપીવાળો  મૂંઝાય ત્યારે બંગલામાં જતો રહે ને ત્યાં જઇને વિચાર કરે, એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દષ્ટિ કરીને વિચાર કરવો. ।।૧૮૨।। read more
0 Views : 75

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૩

ઉત્તમ પુરુષને સેવ્યા હોય ને તેને કસર રહી હોય ને તેનો દેહ પડે તે પછી એવો જોગ ન રહે તોપણ તેની ગમે તે પ્રકારે સહાય કરે. કેમ જે, એ તો સમર્થ છે, તે રક્ષા કરે. જેમ વ્યાસજીએ  કીડાનું કર્યું  એમ કરે. ।।૧૮૩।। read more
0 Views : 72

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૪

લક્ષ્મીજી એક કીડીને ડાબલીમાં ઘાલીને કહે,‘આનું વિષ્ણુ કેમ પોષણ કરશે ?’ પછી ત્રીજે દહાડે તપાસી જોયું, ત્યાં તો એ ડાબલીમાં લક્ષ્મીના ચાંદલાનો ચોખો પડી ગયેલ તે કીડીએ ખાધેલ. એમ ભગવાન તો પોષણ કરે. ।।૧૮૪।। read more
0 Views : 71

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮પ

અને ભગવાન તો કેવા છે ? તો જે જીવ પોતાના સન્મુખ ચાલે તે સારુ તો બ્રહ્માંડ ફેરવી નાખે, તે જુઓને પ્રહ્લાદનો દેહ જ જીવ જેવો કરી મૂકયો. ।।૧૮૫।। read more
0 Views : 98
Powered By Indic IME