અને ઉપાસના સમજવી જે, કોટાનકોટિ ભગવાનના અવતાર જે શ્રીકૃષ્ણ, રામચંદ્ર, વાસુદેવ, નરનારાયણ ઇત્યાદિક સર્વેના કારણ મહારાજ છે. ને પૂર્વે અવતાર થઇ ગયા એવા તો આજ સત્સંગી ને સાધુ છે પણ આપણને મહિમા પૂરો સમજાતો નથી ને શ્રીકૃષ્ણે કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉદ્ધવે ત્યાગ કર્યો ને આજ તો વીસ વીસ વરસના સંસાર મૂકીને ચાલ્યા આવે છે, ને પૂર્વે શાસ્ત્રમાં સ્ત્રી તો કોઇ ત્યાગી થઈ સાંભળી નથી ને આજ તો હજારો બાઇયો ત્યાગી થાય છે.ને પૂર્વે ભગવાન બે-ત્રણને તેડવા આવ્યા તે શાસ્ત્રમાં લખ્યું છે ને આજ તો ઘરોઘર ભગવાન તેડવા આવે છે, ને બીજા અવતાર મોટા મોટા તે પારસમણિ જેવા છે ને પુરુષોત્તમ તો ચિંતામણિ છે.।।૧૭૧।।
read more