અને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય જે, કાળની ગતિ જાણવી, જન્મ-મૃત્યુનું દુઃખ વિચારવું, ભગવાનનો મહિમા વિચારવો. વળી આપણું કોઇ નથી ને આપણે કોઇના નથી. વળી, આત્મા તો ત્રણ દેહથી વિલક્ષણ છે, એમ જ્ઞાનીને તો અનંત લોચન છે ને મૂંઝવણ ટાળ્યાના પણ અનેક ઉપાય છે; ને મૂંઝવણ પણ અનેક પ્રકારની છે. ।।૧૬૭।।
read more