Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૩

ગમે એવું ઉત્તમ સ્થાન હોય તેમાં જઇને રહે તોપણ જીવ વૃદ્ધિ પામે નહિ, એ તો સારા સંતને સંગે જ સમાસ થાય, પણ તે વિના ન થાય. ।।૧૫૩।। read more
0 Views : 71

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પપ

અને શ્રીજીમહારાજે કહ્યું હતું જે, ‘આપત્કાળ આવે તો લીલા ખડને દંડવત્ કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ.’ ।।૧૫૫।। read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૬

શ્રીજીમહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વર્તાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યાં, તેનો વિચાર કરવો ને તેમાંથી મુમુક્ષુને કેટલુંક ગ્રહણ કરવાનું છે. તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન્ય કરવામાં ને કીર્તનમાં થાકવું નહિ. ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય. ને ક્રોધનું ખંડન, દંડવત્  કરવા ને ગાડે ન બેસવું એ આદિક પંચવિષયનું ખંડન ને અનેક પ્રકારે ધર્માદિક ગુણનું પ્રતિપાદન, એ સર્વેનો તપાસ કરવો, ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ  એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું. ।।૧૫૬।। read more
0 Views : 71

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૭

અને સત્સંગમાંથી પડાય નહિ તે વાત શ્રીજીમહારાજે કહી હતી જે, સર્વે સાધુ સત્સંગીની સાથે જીવ બાંધે તો ન પડે, એમ કહીને પછી તો ‘ઓછા ઓછા’ કહેતાં છેલ્લી વારે કહે જે, ‘બે સારા સાધુ તથા ચાર સારા સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે ને તે વિના તો દેશકાળે પડે ખરો.’ ।।૧૫૭।। read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૮

અને પાંચ વાતે સાનુકૂળ હોય ત્યારે પ્રભુ ભજાય : તે સંગ, શાસ્ત્ર, શ્રદ્ધા, રૂડો દેશ ને રૂડો કાળ. ।।૧૫૮।। read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૯

આપણે તો બહુ મોટો લાભ થયો છે, ને બહુ મોટી પ્રાપ્તિ થઇ છે પણ આપણને સમજાતું નથી, તે જેમ પૃથ્વીનો રાજા હોય તેનો છોકરો અલ્પ પદાર્થ સારુ રુવે તેમજ આપણને  મહારાજનો ને મોટા સંતનો સંબંધ થયો છે પણ આ લોકના અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોક થાય કે તે સારુ દિલગીર થવાય, તેને આ વાત સમજાતી નથી. ।।૧૫૯।। read more
0 Views : 69

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૦

એક તો આખા દિવસમાં આખો કોટ ચણીને ઊભો કરે ને એક તો તે કોટમાં એક કાંકરી નાખે તે પડી જાય, એ બેમાં અંતે એ ચણનારો થાકશે. તેનો સિદ્ધાંત જે આખો દિવસ વહેવાર કરે ને એક ઘડી સત્પુરુષની વાત સાંભળે તો તેથી સર્વે ખોટું થઇ જાય. ।।૧૬૦।। read more
0 Views : 63

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૧

અને જયાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઇશે ને જયાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઇશે, ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે, ‘બ્રહ્મરૂપ થઇને ભકિત કરવી.’ ।।૧૬૧।। read more
0 Views : 64
Powered By Indic IME