Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯

પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે; તેની વિકિત જે, સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઇ ને ક્રિયા. ।।૯।। read more
0 Views : 210

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦

અને જેવો સાંઢ હોય તેવું વાછરું આવે અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે. ।।૧૦।। read more
0 Views : 201

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧

આ લોકમાં પદાર્થને અને મનષ્યાદિકને કેવી દષ્ટિએ જોવાં ? જે એ સર્વે વિઘ્ન કરનારા છે અને એક તો કોઇ પ્રકારે સત્સંગમાંથી જાય એવો ન હોય તે પણ જાય, ને એક તો કોઇ રીતે સત્સંગમાં રહે એવો ન હોય તે પણ રહે, એમ સંગમાં રહ્યું છે. ને ભણનારા કરતાં પણ ભણાવનારાને વધારે દાખડો પડે છે, તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતા ગુરુ વધારે દાખડો કરે ત્યારે જ્ઞાન થાય છે; તે વિના જ્ઞાન થાતું નથી. ને અમૃતનું ફળ ઝેર છે, તે શું ? જે વિષય ભોગવવા સારા લાગે છે, પણ તેનું ફળ દુઃખ છે, ને સારા વિષય ને નરસા વિષય એ બેય નાશવંત તો છે પણ નરસામાં દુઃખ છે ને દોષ નથી ને સારામાં દુઃખ ને દોષ બેય છે. ।।૧૧।। read more
0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર

અને એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઇ કઠણ નથી. માટે બે ઘડી વૃત્તિઓ પાછી વાળીને ભગવાન સંભારવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું, પણ રસોઇ કરીને જમવું નહિ, તે શા કામનું ? ને એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી. ને એ તો ભગવાન સંભારશું ત્યારે થાશે ને ભગવાનને સંભારવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દષ્ટિ થાય પણ, એ માર્ગે તો ચાલે નહિ; ત્યારે તેના ઉપર શેની દષ્ટિ થાય ? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. ને જેવો સંગ થાય તેવું થવાય છે; પણ જેમાં જે ગુણ નહિ હોય તેને સંગે તે ગુણ કયાંથી આવશે ? ને જે જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે, એ વાતમાં સંશય નથી. ને જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે, એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય છે ને ભગવાન સંભારવા તે પણ છે તો પોતાના જીવના સુખ સારુ, પણ તેને મહારાજ પોતાને અર્થે કયુર્ં એમ માની લે છે. ।।૧૨।। read more
0 Views : 137

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩

ઇન્દ્રિયારામ અને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે. અને વૈરાગ્યનું તો છેટું છે; કેમ જે, વિષયમાં રાગ છે ને આત્મજ્ઞાનનું પણ છેટું છે. કેમ જે, જીવ દેહમાં જડાઇ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિષે ને બીજી ભગવાનના સ્વરૂપને વિષે નિષ્ઠા, એ બે વાત મુખ્ય રાખવી. ।।૧૩।। read more
0 Views : 151

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪

અને હવે તો ગૃહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે. ને કામી હોય તે જેમ સ્ત્રીઓને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામું જોઇ રહ્યાં છે જે, ‘મને કોઇ સંભારે છે ?’ પણ જીવ તો એવો અવળો છે જે, બીજા પદાર્થ સામું જુએ, પણ ભગવાન સામું ન જુએ. ।।૧૪।। read more
0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ

સંગનું રૂપ કહ્યું જે, ભેગા રહે પણ સંગ ન કરે, તેમાં ઊનાના શેઠિયાનું દષ્ટાંત દીધું જે, સાઠ માણસ ભેગાં રહેતાં પણ તેમાં સંગ તો પુરુષ, સ્ત્રી ને છોકરો એ ત્રણને હતો. ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડ ખવાય છે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે, તો કુસંગી ભૂલાવે એમાં શું કહેવું ? ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઇએ આશા જ રાખવી નહિ; કેમ જે, કોઇનું કામ પુરું થયું નથી ને થાશે પણ નહિ. ને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહિ ને પશુ, પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય ને મનુષ્યદેહમાં ભજાય; તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય, ખાવા ન મળે તોપણ ન ભજાય ને રોગ થાય તોપણ ન ભજાય, ઇત્યાદિક વિઘ્ન છે. આ તો સર્વ વાતે સાનુકૂળ છે; તેમાં પણ પ્રભુ નહિ ભજે તો પછી કીયે દહાડે ભજાશે ? ।।૧૫।। read more
0 Views : 157

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬

શ્રીજીમહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તોપણ એક પડખે  પુસ્તક નિરંતર રાખતા  ને હરે ! હરે ! કરતા, તે આપણને શીખવતા. અને શ્રીજીમહારાજે કહ્યું હતું જે, “કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું; કેમ જે, પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા. પછી વળી કોઇક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા.” ।।૧૬।। read more
0 Views : 155
Powered By Indic IME