Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪પ

કદાપિ માળા ફેરવતાં આવડી તેણે કરીને શું થયું પણ જ્ઞાન જેવો તો કોઇ માલ જ નથી ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે.।।૧૪૫।। read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૬

આપણા દેહનાં પૂર્વનાં હાડકાં આપણી આગળ પડ્યાં હોય, પણ તેની આપણને ખબર ન પડે. ।।૧૪૬।। read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૭

અને દ્રવ્ય ને આ દેહ એ બે ઉપર સર્વે વહેવાર છે, એ બેને ખોટું ખોટું કહીએ છીએ, તે ખોટું કેમ થાય ? એમ કહીને વળી કહે જે, છે તો એમ જ જે, દ્રવ્ય ને આ દેહ એ બેય ખોટાં છે. ને વારંવાર એવા શબ્દને સાંભળવા તેણે કરીને અર્ધું તો ખોટું થઇ જાય, પછી તેને ધક્કો ન લાગે. ને ખોટું કહીએ છઈએ ને વળી વચમાં આ કામ આવે તે કરતા જઇએ છઈએ, તે પણ ખોટું છે. ।।૧૪૭।। read more
0 Views : 70

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૮

અને જળ, અગ્નિ ને વાયુ એ સર્વને હાથ પગ છે, પણ તે આપણને દેખાતા નથી. તે જળ તાણે છે ને અગ્નિ બાળે છે ને વાયુ ઠેલે છે એમ મહારાજે કહ્યું છે. ।।૧૪૮।। read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૯

માન-અપમાનમાં પોતાને અક્ષર માનવું જે, આપણાથી કોઇ મોટો નથી, માટે કેની પાસે માન-અપમાન માનવું ? ।।૧૪૯।। read more
0 Views : 69

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૦

અને ગાય છે તે વાછડાની મા કહેવાય, પણ તેને દૂધનું સુખ તો એક જ ઠેકાણે આંચળમાં આવે, પણ બીજા અંગમાં ન આવે. તેમ ભકિત તો સર્વે કહેવાય, પણ ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાંથી આવે એવું બીજેથી ન આવે. ।।૧૫૦।। read more
0 Views : 70

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૧

અને ‘ગાડે ન બેસવું’ તેનો પ્રબંધ કરીને મહારાજે સંતને પગે લગાડ્યા હતા. ।।૧૫૧।। read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પર

જીવ કર્મવશ થઇને દુઃખનું સહન કરે, એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે તે જો વીંછી કરડ્યો હોય તો આખી રાત જાગે. એ અનુસારે ઘણી વાતો છે. ।।૧૫૨।। read more
0 Views : 77
Powered By Indic IME