અને દ્રવ્ય ને આ દેહ એ બે ઉપર સર્વે વહેવાર છે, એ બેને ખોટું ખોટું કહીએ છીએ, તે ખોટું કેમ થાય ? એમ કહીને વળી કહે જે, છે તો એમ જ જે, દ્રવ્ય ને આ દેહ એ બેય ખોટાં છે. ને વારંવાર એવા શબ્દને સાંભળવા તેણે કરીને અર્ધું તો ખોટું થઇ જાય, પછી તેને ધક્કો ન લાગે. ને ખોટું કહીએ છઈએ ને વળી વચમાં આ કામ આવે તે કરતા જઇએ છઈએ, તે પણ ખોટું છે. ।।૧૪૭।।
read more