Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૯

અને સ્મૃતિ સહિત અને સ્મૃતિ રહિતમાં કેમ ભેદ છે ? જેમ ભર્યું માણસ ને ઠાલું માણસ, ભર્યું ગાડું ને ઠાલું ગાડું, તેમ તેનું ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું ઇત્યાદિક ક્રિયામાં ભેદ છે. ।।૧૨૯।। read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૦

મોટાનો મહિમા જીવને સમજવો કઠણ છે, કેમ જે, બ્રહ્માંડની પણ ગણતી નહિ ને વળી આ લોકના તુચ્છ પદાર્થની પણ સંભાવના રાખે, તે એ વાત કેમ સમજાય ? ।।૧૩૦।। read more
0 Views : 64

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૧

મોટા એકાંતિક ક્રિયા કરાવે ને બીજા કરાવે તેમાં ભેદ છે. કેમ જે, મોટા ક્રિયા કરાવે તેમાં બંધાવા દે નહિ ને તેનો ફેર ચડાવી દે નહિ, તેનો નિષેધ કર્યા કરે. ને બીજા તો કરાવે એટલું તેના હૈયામાં ભેગું થઇને ખડકાય ને નવરા રહે તોપણ તેના મનસૂબા કર્યા કરે, ને અંતરમાં ગોટા વળાવે. તે કરનાર કરે એટલા દહાડા તો તેના ઉપર સર્વ હેત બહુ કરે, પણ તેથી જ્ઞાન વિના જો કાંઇક આડુંઅવળું થઇ જાય તો તેને માથે સંસ્કાર કરાવે. ને મોટા ક્રિયા કરાવે તે તો જેમ બકરાને ખવરાવીને સાવજ આગળ રાખે તેમાં તોલ વધે નહિ; એમ કરાવે. એવી રીતે ભેદ છે, પણ એ વાત સમજાય નહિ. ।।૧૩૧।। read more
0 Views : 65

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩ર

અને મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઇ રહેતા. તેના પશ્ચાત્તાપ સારુ તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા. એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. ।।૧૩૨।। read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૩

સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન કરવી. તે અસેવા તે શું ? જે અવગણુ લેવો. ।।૧૩૩।। read more
0 Views : 67

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૪

આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખડા વિના થાય નહિ. તે તો ગુરુ ને શિષ્ય એ બેયને શ્રદ્ધા જોઇએ. ।।૧૩૪।। read more
0 Views : 73

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩પ

જીવ પ્રાણીમાત્રના મનને રહેવાનું ઠેકાણું મહારાજે કહ્યું જે, “પુરુષનું મન સ્ત્રીના અંગમાં છે ને સ્ત્રીનું મન પુરુષના અંગમાં છે.” ।।૧૩૫।। read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૬

અને દેહ પોતે નથી તે સાક્ષાત્ દેખાય છે ને દેહ મનાઇ ગયું છે એ અજ્ઞાન છે. ।।૧૩૬।। read more
0 Views : 62
Powered By Indic IME