સત્સંગમાં કેટલાક મુકત છે, તેમાં કેટલાક ભેદ છે. તેમાં કેટલાક મુકત તો મંદિર, મેડીઓ ને ધર્મશાળા કરાવે એવા છે, ને કેટલાક ખેતર, વાડી, બાગબગીચા કરે એવા છે, ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય, ને કેટલાક ગામગરાસ કરે એવા હોય. એ સર્વ પ્રકારના મુકત તો ઘણાય, પણ આવા મુકત થોડા જે, ઉપાસના, આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાતો પ્રવર્તાવે. પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે. ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય, પણ તે પ્રવર્તાવે એવા મુકત થોડા. પણ માલ તો એમાં જ છે. ને આ વાત વારે વારે વિચારીને નિરધાર કર્યો છે તે કહ્યો. ।।૧૨૦।।
read more