Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૩
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૩

અને સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહિ, પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય, નીકર ચોંટી જવાય. ।।૧૧૩।। read more
0 Views : 75

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૪

અને વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, ને તે સંબંધ થઇ જાય તો ત્યાં સિંહ થાવું . ।।૧૧૪।। read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧પ

અને જીવનો સ્વભાવ બદ્ધ છે, તે ત્યાગીમાં બંધાય ને ગૃહસ્થમાં પણ બંધાય, પદાર્થમાં બંધાય ને દેશમાં ને ગામમાં બંધાય, આસનમાં બંધાય ને જયાં એક ઠેકાણે રહે ત્યાં બંધાય; ને નાતજાતમાં બંધાય, એવા અનતં ઠેકાણાં બંધાવાનાં છે. તે સારુ તો ટોપીવાળો કોઇને એક ઠેકાણે રહેવા દેતો નથી. ।।૧૧૫।। read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૬

અને વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું, પણ આસકત ન થાવું. ।।૧૧૬।। read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૭

અને આ બ્રહ્માંડના સર્વ જીવને ખવરાવવું તે કરતાં એક ભગવદીયને જમાડવો એ અધિક છે. ।।૧૧૭।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૮

અને ખટરસમાં રહ્યાં ને જલેબીમાં ગયા. તે શું ? જે, ટાઢી અગ્નિ એવા વિષય ભૂંડાં છે. ।।૧૧૮।। read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૯

અને મહારાજ કહેતા જે, “હરિભકત કોઇ રીતે સુખિયા થાતા નથી; તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થાતા નથી ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ન મળે, શું દર્શને જઇએ ? માટે બેય વાતે જીવ ભગવાનને ભજતા નથી. તે સારુ ચાર ઉપાય કરીએ છીએ. તે ‘સામ’ જે વાતું કરીએ છીએ ને ‘દામ’ જે ભગવાન આપીએ છીએ, ને ‘ભેદ’ જે સર્વે ખોટું કહીએ છીએ, ને ‘દંડ’ જે જમપુરીનાં દુઃખ દેખાડીએ છઈએ, એમ કરીએ છીએ” ।।૧૧૯।। read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૦

સત્સંગમાં કેટલાક મુકત છે, તેમાં કેટલાક ભેદ છે. તેમાં કેટલાક મુકત તો મંદિર, મેડીઓ ને ધર્મશાળા કરાવે એવા છે, ને કેટલાક ખેતર, વાડી, બાગબગીચા કરે એવા છે, ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન  કરે એવા હોય, ને કેટલાક ગામગરાસ કરે એવા હોય. એ સર્વ પ્રકારના મુકત તો ઘણાય, પણ આવા મુકત થોડા જે, ઉપાસના, આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાતો પ્રવર્તાવે. પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે. ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય, પણ તે પ્રવર્તાવે એવા મુકત થોડા. પણ માલ તો એમાં જ છે. ને આ વાત વારે વારે વિચારીને નિરધાર  કર્યો છે તે કહ્યો. ।।૧૨૦।। read more
0 Views : 80
Powered By Indic IME