Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૨
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૯

સ્વામીએ સર્વે ધામોના મુકત સાથે પ્રશ્ન-ઉત્તર કર્યા, તે કોઈ મુકત જીત્યા નહિ. તે વાત પોતે કરી જે, “પ્રથમ તો જાણીએ, હું બદરિકાશ્રમમાં ગયો; તે બદરિકાશ્રમમાં મુકત મને પ્રશ્ન-ઉત્તરમાં જીત્યા નહિ; પછી જાણીએ જે, હું શ્વેતદ્વીપમાં ગયો ત્યારે તે શ્વેતદ્વીપના મુકત જીત્યા નહિ. પછી જાણીએ જે, હું વૈકુંઠમાં ગયો, ત્યારે તે વૈકુંઠના મુકત પણ જીત્યા નહિ; પછી જાણીએ જે, હું ગોલોકમાં ગયો, ત્યારે તે ગોલોકના મુકત પણ જીત્યા નહિ; પછી જાણીએ જે, હું અક્ષરધામમાં ગયો, ત્યારે તે મુકત સાથે મારે બરોબર પ્રશ્ન-ઉત્તરમાં ઠીક પડ્યું. ‘પછી ગોપાળાનંદસ્વામીને કહ્યું જે, આજ તો આમ થયું. ત્યારે ગોપાળાનંદસ્વામી બોલ્યા જે,‘મહારાજે એમ જણાવ્યું જે, બીજા ધામોના મુકતનું જ્ઞાન આવું છે !’ માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન તો અક્ષરધામના મુકતમાં છે કે આંહીં એકાંતિક સાધુમાં છે, પણ બીજે નથી ને બીજે તો બીજું જ્ઞાન છે.’ ।।૪૯।। read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૦

 સ્વામીએ વાત કરી જે, બીજે કયાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. જેમ ગુજરાતનાં ઘોડાં છે તે લાંબા બહુ ને કાંઠાળા  બહુ; પણ જયારે ધોરિયો  દેખે ત્યારે અટકે છે, તે કાપી નાખે તોય ડગ દે નહિ ને સામું ખાસડું  ઉગામ્યું હોય તો કયાંઇ ને કયાંઇ ભાગી જાય. ને અલૈયાખાચરના ઘોડાને ચડાઉ કરવાં હોય તેને બસેં છોકરા ગોટા વાળીને ઊભાં હોય તેમાં વચોવચ નાખીને ચડાઉ કર્યા હોય તે કયાંય અટકે નહિ. જેમ સામતપતંગ પાંચસે બખતરિયાં  ઊભાં હતા તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા. એવી રીતના જે હોય તે કયાંય અટકે નહિ. એ ઉપર છંદ બોલ્યા જે, તુરી વેગવંતા જરીસા જઠાણં, દિયંતા ઉડાણં જેહિ મૃગડાણં; સચે વાગરાગં નટા જયું નચેરી, દિન એક હોસે સબે ખાખ ઢરે ી. એવી રીતના જે હોય તે કયાંય અટકે નહિ. ।।૫૦।। read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૧

સ્વામીએ વાત કરી જે, ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે છે તે નીસરાય નહિ; ને વળી બીજું દષ્ટાંત જે, તીરે કરીને લવિંગ વીંધે તેવો આંટુકદાર  હોય તે તીરને પણ વાયુ ફગાવી દે છે, તેમ ગમે તેવો સાંખ્યવાળો કે યોગવાળો હોય, તેને પણ સ્ત્રીરૂ૫ પાણીની ભમરી તે તો બુડાડી દે છે, તે નીસરાય નહિ; તેમજ ગમે તેવો અંતરદષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશકાળાદિક આઠ છે તે ફગાવી નાખે છે, પણ અંતરદષ્ટિ થાવા દે નહિ. તે ઉપર શ્લોક બોલ્યા જે, સંગ ન ઇંર્યાત્ પ્રમદાસુ જાતુ યોગસ્ય પારં પરમારુરુક્ષુઃ । મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદન્તિ યા નીરયદ્વારમસ્ય ।।  એવા એવા ઘણા શ્લોક બોલીને કહ્યું જે, કેની બુદ્ધિ – ભેદાતી નથી ? તો ત્યાં કહું છું જે : કામાદિભિર્વિહીના યે સાત્વતાઃ ક્ષીણવાસનાઃ। તેષાં તુ બુદ્ધિભેદાય કવાપિ કાલો ન શકનુતે ।। એ શ્લોક બોલીને કહ્યું જે, ‘જેણે સાત્ત્વિક સેવ્યા હોય ને જે કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઇ ગઇ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી ને બીજાની તો ભેદાઇ જાય છે, તેમાં સંશય નથી.’ ।।૫૧।। read more
0 Views : 163

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પર

વિષય તો બાંધે એવા છે, પણ જયાં સુધી મોહ છે ત્યાં સુધી જણાય નહિ. કેમ જે, કેવા વૈરાગ્યવાન ! તેને પણ બાંધ્યા ! તેના નામ ગોવિંદસ્વામી તથા પરમહંસાનંદસ્વામી તથા મહાપ્રભુ નામે સાધુ, એ આદિક ઘણા ઘણાને બાંધ્યા. તેની વિકિત જે, ગોવિદં સ્વામીને કેવો વૈરાગ્ય ! તે સંસારનો ત્યાગ કરીને ચાલ્યા ને રસ્તામાં એક રાજાની બાની દસ હજાર રૂપિયાનું સોનું લઇને બેઠલે . તે ગોવિંદસ્વામીનું રૂપ જોઇને કહે જે, “આ સોનું ને હું તમારી છું. ” ત્યારે સ્વામીને વિચાર થયો જે, ‘પ્રભુ ભજવા નીસરે છે તેને આડી સિદ્ધિઓ આવે છે, તે મારે સિદ્ધિ આવી.’ પછી તો પોતાનું લૂગડું મૂકીને કહ્યું જે, ‘બેસ… ખત્રે જઇ આવું. ’ એમ કહીને ચાલ્યા ગયા. એવા વૈરાગ્યવાન, તે પણ ગંગામાના દાળ, ભાત ને રોટલીઓમાં બંધાણા. તેને મહારાજે ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ગામ જ આવવા દીધું નહિ; ત્યારે હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ ! કમે કરવું છે ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, “રીંગણાં ને ગાજરની માળા ગળામાં ઘાલીને જેતલપરુ માં જઇ ભિક્ષા માગો. પછી કોઇ કહેશે જે, ‘ગોવિદં સ્વામી કાઇં જોશે ?’ ત્યારે કહેવું જે, ‘હાઉ !!’ અરે! ગોવિદં સ્વામી ગાંડા થયા ?’ ત્યારે કહેવું જે, હાઉ!” અમે કરીને સ્વભાવ મુકાવ્યા. પરમહંસાનંદસ્વામીએ તો ગાયોમાં  બે વર્ષ આસન  કયુર્ં તે પાછું સાધુમાં આસન થયું નહીં. […] read more
0 Views : 148

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૩

સ્વામીએ વાત કરી જે, હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે, તે મહારાજને આવવું પડે, તે સારુ આવરદા વિના મહારાજે મને રાખ્યો છે તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે. ને આવરદા તો અઠ્ઠાવન વરસથી વધુ નથી, એમ જન્મોત્રીમાં લખ્યું હતું ને તે વિના દેહ રહ્યું છે, તે તો આ સોરઠ દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત, તેને પોતાનું સુખ દેવા સારુ મહારાજે મને રાખ્યો છે. તે શા સારુ ? તો પોતાનું સુખ દેવાણું નહિ, તેને પોતાનું સુખ દેવા સારુ; પોતાનું સર્વસ્વ હતું તે સાધુ-સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે તે મુકતાનંદસ્વામીના કીર્તનમાં કહ્યું છે જે : ઐસે મેરે જન એકાંતિક, તેહિ સમ ઓર ન કોઇ; મુક્તાનદં કહત યું મોહન, મરેો હિ સર્વસ્વ સોઇ. એવા સાધુ મળ્યા છે ત્યારે શી વાતની કમી  રહી ? તે ઉપર સવૈયો બોલ્યા જે, સાચે સંત મીલે કમી કાહુ રહી, સાચી શીખવે રામકી રીતકું જી, પરાપર  સોઇ પરિબ્રહ્મ હે, તામે ઠેરાવે  જીવ કે ચિત્તકું જી; દઢ આસન સાધકે ધ્યાન ધરે, કરે ગ્યાન હરિગુન ગીતકું જી, બ્રહ્માનંદ કહે દાતા રામહુકે , પ્રભુ સાથ બઢાવત પ્રીતકું જી. ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતો કરે છે, મળે છે ને દષ્ટિ માંડીને જુએ છે. એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતો કરીને […] read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૪

સ્વામીએ વાત કરી જે, જુઓને એક પુરુષ ઊગ્યો તે પચાસ કરોડ યોજનમાં અંધારું ન રહ્યું, તે જેમ સૂર્યના કિરણે કરીને રાત્રિનો નાશ થાય છે, તેમ સત્પુરુષની દષ્ટિ વડે કરીને તો કોઇ દેશમાં અજ્ઞાન રહે જ નહિ. અને તે સત્પુરુષ વિના તો જેમ : સોળકળા શશી ઊગહિ, તારાગણ સમુદાય, સબ ગિરિ દાહ લગાઈએ, રવિ બિન રાત ન જાય. તે આવા સાધુ વિના અજ્ઞાન જાય નહિ અને અજ્ઞાન ગયા વિના સુખ પણ થાય નહિ. અરે ! અમારે તો ઘણુંયે જ્ઞાન દઇને બ્રહ્મરૂપ કરવા છે, પણ શું કરીએ ? જીવને ખપ નહિ ને વળી કારખાને ગળે ઝાલ્યા  ! ને તે જ્ઞાન કહેવા નવરા થાતા નથી. કેમ જે, જેમ જબરા ખેડુને વેર અપરવારે  ગયું, તે નવરા થાય નહિ ને વેર વાળવા જાય નહિ. તેમ અમારું જ્ઞાન અપરવારે ગયું; પણ હવે સાધુ-સત્સંગીને મારી પાસે રાખીને વાતો જ કરવી છે, જેણે કરીને બ્રહ્મરૂપ થઈ જાય. એમ કહીને બોલ્યા જે વાતો સાંભળી લેજો; પછી આવો યોગ મળવો બહુ દુર્લભ છે; માટે સમાગમ તો કરી લેજો. એમ કરીને કહ્યું જે,‘ચેતનવાલા ચેતજો કહત હું હાથ બજાય’ અમે તો તાળી વજાડીને કહીએ છીએ, પછી વળી કહેશો જે કહ્યું નહિ. ।।૫૪।। read more
0 Views : 181

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પપ

એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે,”બીજા અવતારે વર્તમાન પળાવ્યા નથી ને કલ્યાણ તો કર્યા છે ને આજ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે તેનો શો હેતુ છે ?” પછી સ્વામી બોલ્યા જે, બીજાએ કલ્યાણ તો કર્યા છે પણ કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા નથી ને જો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા હોય તો ગોલોક અને વૈકુંઠ લોકમાં કજિયા શા સારુ થાય ? માટે ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વઢવેડ  કરી, ને વૈકુંઠ લોકમાં જય-વિજયે સનકાદિક સાથે વઢવેડ કરી છે; તે એમ જાણવું જે, ત્યાં કારણ શરીર નહિ ટળ્યું હોય, ને મહારાજ તો કારણ શરીર ટાળવા સારુ સાધુ ને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે. તે માટે સાધુ ભગવાનની ઉપાસના કરાવે છે, ને નિયમે કરીને ભગવાનની આજ્ઞા પળાવે છે, તેણે કરીને કારણ શરીરનો નાશ થઇ જાય છે.’ તે ઉપર કારિયાણીનું બારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આ વચનામૃતમાં મહારાજે સિદ્ધાંત કહ્યા છે. તે સારુ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે, એ હેતુ છે.’ ।।૫૫।। read more
0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૬

વળી સ્વામીએ વાત કરી જે, એક દિવસ મહારાજે મને કહ્યું જે,‘મંડળ બાંધો.’ ત્યારે હું કાંઇ બોલ્યો નહિ. પછી સામું જોઇને કહ્યું જે, ‘સાધુ તો પાંચ રાખીએ, જેથી જીવનું કલ્યાણ થાય.’ એમ કહીને કહેવા માંડ્યાં જે, ‘સાધુ તો દસ રાખીએ, વીસ રાખીએ, પચાસ રાખીએ, સો રાખીએ ને સાધુ તો બસેં પણ રાખીએ.’ પછી તો હું બોલ્યો નહિ, પણ અંતે એમ કર્યુ. એ વાતની દીર્ઘદર્શીને ખબર પડે, આપણે તો કાંઇ જાણીએ નહિ. અરે, એક દિવસ મહારાજે મને પૂર્વાશ્રમમાં હતો ત્યાં આવીને કહ્યું જે, ‘શું કરો છો ને શું કરવા આવ્યા છીએ ? ને બ્રહ્મતેજ તો સુકાઇ ગયું છે !’ એમ કહીને દેખાણા નહિ. તે દિવસથી જીવોના કલ્યાણ થાય તેમજ કરીએ છીએ. અને એક દિવસ મહારાજને ચાર પ્રશ્ન પૂછાવ્યાઃ તેમાં એક તો ધ્યાન કરવું, બીજું આત્માપણે વર્તવું, ત્રીજું માંદાની સેવા કરવી ને ચોથું ભગવાનની વાતો કરવી. એ ચારેમાં અધિક કોણ છે, તે કહો ? પછી મહારાજે કહ્યું જે, ‘વાતો જ અધિક છે.’ તે દિવસથી મેં વાતો કરવા માંડી છે, તે રાત-દહાડો સોપો  જ પડતો નથી; જેથી જીવ બ્રહ્મરૂપ થઇ જાય છે. ।।૫૬।। read more
0 Views : 98
Powered By Indic IME