પછી વળી સ્વામીએ વાત કરી જે, ગામ જાળિયામાં શ્રીજી મહારાજ બહુ વાર પોઢીને જાગ્યા. પછી સર્વે સંતે પૂછ્યું જે, ‘હે મહારાજ ! આજ તો તમે બહુવાર પોઢી રહ્યા !’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”તમે બહુ તપ કર્યુ, તે અમે રાજી થયા. માટે આજ તો તમારા સારુ અમે ધામ જોવા ગયા હતા. તે પ્રથમ તો અમે બદરિકાશ્રમમાં ગયા, તે બદરિકાશ્રમવાસીએ અમારી પૂજા, આરતી, સ્તુતિ કરી ને બેઠા. પછી તેને અમે કહ્યું જે, અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ તમારું છે, માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને એમ જણાણું જે, આવો તો ચરોતર છે, કેમ જે કોઠાં, બોરાં ત્યાં પણ મળે છે. પછી અમે ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા, ને ત્યાંના વાસીએ અમને પધરાવીને પૂજા, આરતી, સ્તુતિ કરી ને બેઠા. પછી અમને તેણે કહ્યું જે, ‘મહારાજ! બહુ દયા કરીને દર્શન દીધાં.’ પછી અમે તેને કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આંહીં આવ્યા છીએ.’ ત્યારે તેણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ તમારું છે, તે આંહીં સાધુને રાખો.’ પછી અમને જણાણું જે, ‘સ્થાન તો બહુ સારું, પણ પ્રભુ ભજવામાં સુખ જણાણું નહિ. શા માટે જે, ક્ષીરસમુદ્ર એક કોરે હડુડ્યા કરે છે. પછી તેને જાઇે ને અમે ચાલી નીસર્યા; તે વૈકુંઠ લોકમાં ગયા. તે વૈકુંઠ […]
read more