દૈવની માયાએ જુઓને મોહ પમાડ્યા છે જે, ગાડી,પુસ્તક, ચેલો ને હવેલી એને વિષે માલ મનાણો છે, પણ તેણે કરીને શું થાશે ? બંધન થાશે, માટે એમાં કાંઇ માલ નથી. રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઇ શાહ ભયો કહા બાત બઢી, પતસાહ ભયો કહા આન ફિરાઇ; દેવ ભયો તોઉ કહાં ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઇ, બ્રહ્મમનિ સત્સગં બિના સબ, ઓર ભયો તો કહા ભયો ભાઇ ? ત્યારે શું ભરતજી રાજ મૂકીને મૃગલામાં બંધાણા એ કાંઇ સાધુનો માર્ગ છે ? અને આસન સારુ, પથારી સારુ, ચેલા સારુ, ગાડી સારુ ને એવાં તુચ્છ પદાર્થ સારુ કરીને મોટી ખોટ ખાવી નહિ, ને સર્વ દોષ રહિત થઇને રૂડાં સાધુને સેવી ને સાધુતા શીખવી, એમાં જ માલ છે, નીકર તો મોટપ ને માન સારુ કરીને ગાડી કે ઘોડું ન મળે કે દુ:ખી થવું પડે એમાં શું? એમ કહીને બોલ્યા જે: મોટા થાવાનું મનમાં રે, દિલમાં ઘણો ડોડ ;તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ ?,ભૂંડા ઘાટ ઊઠે છે ભીંતરે રે, જે ન કહેવાય બા’ર, એહ વાતનો તારે અંતરે રે, નથી નર વિચાર.એવું છે; માટે જ્ઞાન શીખવું તેણે કરીને કોઇ વાતની અપેક્ષા ન રહે. જો જ્ઞાન ન હોય તો તો મૂર્ખાઇએ કરીને અસદ્ યુકિતઓ ઉઠાવે છે. તે એમ સૌ ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી […]
read more