Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૫
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- રપ

અને જીવની ચાર ઘાંટી મેં વિચારી રાખી છે; તેમાં એકતો પુરુષોત્તમ જાણવા, બીજી સાધુ ઓળખવા, ત્રીજી પંચવિષયમાંથી પ્રીતિ ઊખેડવી ને ચોથી આ જીવ અને દેહ એક થઇ ગયાં છે, તેનાથી આત્મા નોખો સમજવો તે એ ચારે ઘાંટી જબરી છે. તેમાં બેનું કામ ભારે છે; એક તો પંચવિષયમાંથી પ્રીતિ ઊખેડવી ને બીજી દેહથી જીવ નોખો જાણવો એ. ।।૨૫।। read more
0 Views : 168

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૬

જડભરતને વખાણ્યા કે, અહો ! જડભરતને તરવાર કાઢીને મારવા માંડ્યા પણ બીના નહિ, ને કહ્યું જે,‘પાપ જાશે મારશે તો.’ ને અંબરીષને એથી વધુ વખાણ્યા; એવી જ્યારે આત્મનિષ્ઠાથાય ત્યારે જાણે ઠીક. આ તો વખત આવે ત્યારે સમજણ ચૂંથાઇ જાય છે તે ચૂંથાવા ન દેવી, ને પદાર્થ સારુ ને પુસ્તક સારુ કજિયા કરે છે, પણ એ ઠીક નહીં. ।।૨૬।। read more
0 Views : 192

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૭

એમ વાત કરી જે, ભગવાનના અવતાર તો અસંખ્ય છે,પણ આ સમે મહારાજ પ્રગટ થયા તે ભેળા હજાર ભગવાનના અવતાર થયા, ને પોતે તો એક માંહી અવતારી થયા, એમ ચોખ્ખું સમજવું. ।।૨૭।। read more
0 Views : 178

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૮

એક જણે પ્રશ્ન પૂછ્યું જે,‘ઠેઠ મહારાજ પાસે ને તમારી પાસે કેમ અવાય ?’ ત્યારે સ્વામી કહે જે, ‘મહારાજને પુરુષોત્તમજાણે ને ભગવાનની આજ્ઞા પાળે તો અવાય.’ ।।૨૮।। read more
0 Views : 160

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ર૯

કોઇ ઐશ્વર્યને ભલા થઇને ઇચ્છશો મા, ને જો આવે તો આપણે કઇંક કરી નાખીએ એમ છીએ; માટે એમાં કાંઇ માલ નથી. દેશકાળે સ્થિતિ રાખવી, તે શું? તો દ્રવ્ય ગયુંકે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે,તે એક વાણિયે પરદશે માં જઇને કરોડ સોનાનાં રાળ ભેળાં કર્યા ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઊતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બૂડ્યું ત્યારે વાણિયો કહે ‘અહો !થયું ને માથે.’ પણ પછી કહે ‘જન્મ્યા ત્યારે એ કયાં હતાં ?’તેમજ એક ફકીરને રસ્તામાં ચાલતાં દોરડું મળ્યું, તે તેણે ખંભે નાખ્યું હતું, પણ તે પાછું પડી ગયું. પછી થોડે ચાલ્યો ત્યારે ખબર પડી, ત્યારે કહે જે, ‘કાંઇ નહિ, મુજકું રસા પાયા જ નહોતા’ એમ વિચારીને આનંદમાં રહેવું. વળી, કાકાભાઇના વચનામૃતમાં (પ્રથમ.૭૦) પણ કહ્યું છે જે, “ઘરમાં દશ માણસ હોઇએ ને તે સર્વે મરવાનાં હોય, તેમાંથી એક બચે તો શું થોડાછે ?” માટે એમ સમજવું. ।।૨૯।। read more
0 Views : 160

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૦

અને વરતાલથી પધાર્યાતે દિવસ સ્વામીએ વાત કરી જે, આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ । બોધને નિપુણા આત્મનિષ્ઠાઃ સર્વોપકારિણઃ ।। એવા ચોસઠ લક્ષણ સાધુનાં હોય ત્યારે સાધુ થવાય. તે મહાપ્રલય સુધી ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી, સ્વરૂપાનંદસ્વામી ને મુકતાનંદસ્વામી જેવા સાધુનો અહોરાત્રી-નિરંતર સમાગમ કરે, ત્યારે પૂરો સાધુ થવાય. ને સાધુતા વગર સુખ આવે નહિ ને આત્યંતિક મોક્ષ પણ થાય નહિ. તે જેટલી કસર રહેશે તેટલી કસર ટાળવી પડશે. ।।૩૦।। read more
0 Views : 175

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩૧

વિધાત્રાનંદસ્વામી વાળી પત્રી વંચાવીને બોલ્યા જે,‘આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઇ કરવું બાકી રહે નહિ. આ પત્રી ઉપર અચિંત્યાનંદબ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે. તેમાં સંપૂર્ણ વાત આવી ગઇ છે. અહો ! હમણાં ઘણી પ્રાપ્તિ છે,આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય,‘પોતાનાં વખાણ પોતાને ન કરવાં’ એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે; પણ કહ્યા વિના સમજાય નહિ. પછી બહુ ખોટ જાશે. ।।૩૧।। read more
0 Views : 153

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૩ર

આત્મનિષ્ઠા આવે તેણે કરીને સર્વે વાત થાય. તે ઉપર કહ્યું જે, મરને આતસકા વરસે મહે રે તોય નવ દાઝે મેરા દેહ રે મરને બારે મેધ આવી ઝુમે રે, તોય નવ ભીંજે મેરા રુમે રે. એવી નિષ્ઠા જોઇએ. પ્રથમનું છવ્વીસમું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, આ પણ એક નિર્ગુણભાવને પમાડે એવું છે. ‘ઉધો ! સોઇ સાચે મમ દાસ હે’ આ ચાર કીર્તન પ્રમાણે રહે તો સાચો ભકત કહેવાય. ।।૩૨।। read more
0 Views : 151
Powered By Indic IME