Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૫
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯૦

જેટલું આ જગત પ્રધાન છે, જેટલી સ્ત્રી પ્રધાન છે ને જેટલો છોકરો પ્રધાન છે, તેટલો સાધુ સમાગમ નથી; ને સમાગમની કસર રહે છે એટલે એ પ્રધાનપણે રહે છે. ।।૨૯૦।। read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯૧

આ જગતનું સુખ તો એવું છે જે, અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતર્યું તે પ્રકૃતિના લોકમાં ટીપું પડ્યું, ને તેમાંથી વળી પાછું થોડુંક ટીપું પ્રધાનપુરુષના લોકમાં પડ્યું, ને તેમાંથી પાછું એમને એમ બીજા લોકમાં પડતે પડતે કાંઇક ઝણ આ બ્રહ્માંડમાં પડી, એ તે શું કેટલુંક કહેવાય ? તે માટે સર્વોપરી સુખ તો અક્ષરધામમાં છે, ત્યાં જાવું. ।।૨૯૧।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯ર

સ્વામી કહે,‘વાંચો રુચિનું વચનામૃત.’ (લોયા-૧૪) તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહિ. રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓને, જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે. એમ રુચિની વાત છે. ।।૨૯૨।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯૩

એક જણે સ્વામીને પૂછ્યું જે, ‘વચનામૃતમાં કયાંક આશરાનું બળ કહ્યું છે, કયાંક ધર્મનું, કયાંક વૈરાગ્યનું, કયાંક આત્મનિષ્ઠાનું ને કયાંક પાછી તે આત્મનિષ્ઠા ઉડાડી નાખી છે.એવા કૈંક ઠેકાણે અનંત સાધન કહ્યાં છે; તેમાં એકને વિષે સર્વે આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો ?’ એટલે સ્વામીકહે જે,‘ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધાંઆવે. તેનું એમ થાય જે ઉદ્ધવના જેવી દાસત્વભકિત ને ગોપીઓના જેવો પ્રેમ ને શુકજી ને જડભરતના જેવો વૈરાગ્યએ હોય તેને પછી ઉપાસના સિદ્ધ થાય છે.’ ।।૨૯૩।। read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯૪

વળી પૂછ્યું જે,‘ઉપાસના છે એમ કેમ જણાય ?’ એટલે કહે ત્રિભુવનવિભવહેતવેઽપ્યકુણ્ઠસ્મૃતિરજિતાત્મસુરાદિભિર્વિમૃગ્યાત્ । ન ચલતિ ભગવત્પદારવિન્દાત્ લવનિમિષાર્ધમપિ સ વૈષ્ણવાગ્રયઃ ।। એ શ્લોક પ્રમાણે તો વિષયની કોરનું હોય,’ એવા ત્રણ શ્લોક બીજા બોલ્યાં ને કહ્યું જે, ‘એ પ્રમાણે રહે એવા ગુણ હોય તેને ઉપાસના છે એમ જાણવું.’ ।।૨૯૪।। read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૯પ

પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ અડગપણે ભગવાનને સમજે. વળી, મહારાજે કરોડ કરોડ સાધન કહ્યાં છે, પણ તેમાં ત્રણ મુખ્ય છે: તેમાં એક ભગવાન, બીજું તેમનાં ભકતને વિષે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા, એ ત્રણેય જો બરાબર સમજે તો બધુંયે થયું. ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો ને આજ્ઞામાં સર્વે સાધન પણ આવી ગયાં. અને આપણે મહારાજની આજ્ઞા, ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે.માટે જે જે કરવાનું છે તે આપણે થઇ રહ્યું છે, હવે કાંઇ કરવું રહ્યું નથી. ।।૨૯૫।। સંવત્ ૧૯૨૩ના ભાદરવા માસ પર્યન્ત સ્વામીએ વાતો તો ઘણી કરી છે, પણ આ તો સંક્ષેપ માત્ર લખાણી છે; નેવળી આ વાતો તો સ્વામીએ પોતે જૂનાગઢના મંદિરમાં પોતાને આસને બાળમુકુંદદાસજી પાસે બ્રહ્મચારી અચિંત્યાનંદજી વગેરે સર્વે સંતમંડળ સાંભળતે વંચાવી, ને પછી સ્વામી બોલ્યા જે,‘આ વાતો તો બહુ સારી છે અને શ્રીજીમહારાજની કરેલી પણ વાતો આમાં ઘણી છે’ ત્યારે બ્રહ્મચારીએ તે વાતો સાંભળીને કહ્યું જે, ‘તમે કહો છો તેમજ છે.’અને આ જે સ્વામીની વાતો છે તેને જે કોઇ વાંચે, સાંભળે વિચારે તેણે તેટલો સ્વામીનો સમાગમ કર્યો કહેવાય. કેમ જે સ્વામીએ પોતે એમ કહ્યું છે જે, ‘જેનું કરેલું શાસ્ત્ર વાંચે, સાંભળે તેટલો તેનો સમાગમ કર્યો કહેવાય છે.’ ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીની કરેલી વાતોમાં સર્વદેશી સમજણનું મુખ્યપણું કહ્યુંએ નામે પાંચમું પ્રકરણ સમાપ્ત. read more
0 Views : 156
Powered By Indic IME