અને સ્વામીએ શ્રાવણ વદી બારસે વાત કરી જે, ‘મહારાજે મંડળ બાંધ્યાં ત્યારે સારા મોટા સાધુ ભેળા કોઇ સાધુ બેઠા નહિ, ને બીજા ભેળા વીસ-પચીસ થયા !’ તે મહારાજ કહે, ‘ઓલ્યા હિંદુસ્તાનમાં લઇ જાશે તેના ભેળા થઇ ગયા, ને આ સત્સંગમાં રાખે તેવા ભેળા કોઇ નથી.’ પછી સ્વામી કહે, ‘એમ એકાંતિકનું ને સાધારણ સાધુનું નોખું છે, તે ઓળખ્યા જોઇએ.’ ।।૨૮૫।।
read more