શ્રાવણ સુદી પાંચમને દિવસ વાત કરી જે, ‘આટલા દિવસ મંદિર કરતા ને હવે હમણાં વિચાર્યું જે, સર્વે દોષમાત્ર એક ન હોય તો ટળે. તે શું ? જે એક દેહાભિમાન ટળે તો બધા દોષમાત્ર એની વાંસે ટળે. ને એક ગુણ આવે તો બધા ગુણ આવે એ કયો ગુણ ? તો આત્મનિષ્ઠા હોય તો ગુણ માત્ર આવે. જો થોડું જ જ્ઞાન હોય પણ સારધાર દેહ પર્યંત રહે તો સારું.’ ।।૨૭૮।।
read more