અને પુરુષરૂપે પ્રકૃતિમાં આવ્યા, ત્યાંથી વૈરાટમાં આવ્યા. એમ પુરુષોત્તમનો પ્રવેશ થાતો ગયો. તે પ્રવેશ શું ? જે, પુરુષોત્તમ પોતે આવ્યા ત્યારે શું ધામમાં નહોતા ? ધામમાં પણ એમને એમ હતા. ને ઓલ્યું તો એના ઐશ્વર્ય વતે થાતું ગયું. એમ તો પેલા ગણેશને પ્રભુ કહે છે, બ્રહ્મા, વિષ્ણુ ને શિવને કહે છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહે છે, ત્યારે એમાંથી કેને પ્રભુ માનવા ? ત્યારે એનું તો એમ છે જે, જીવની કોટિઓ ,બ્રહ્માની પણ કોટિઓ ને કોટિઓ છે, એમ સૌના કારણ તો મહારાજ પોતે; એમ સમજે ત્યારે મજકુર મળ્યું કહેવાય. ને અનંત કોટિ રામ, અનંત કોટિ કૃષ્ણ ને અનંત કોટિ અક્ષરમુકતએ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે, ત્યારે જ્ઞાન થઇ રહ્યું. ।।૨૫૭।।
read more