છેલ્લા પ્રકરણના ત્રીસના વચનામતૃ માં કહ્યુંછે જે,‘આ ક્ષણમાંને આ પળમાં મરી જવાશે, એમ અમારે નિરંતર અનુસંધાન રહે છે.’ એ વંચાવીને સ્વામી કહે જે, ‘એને શું કરવું છે? એ તો પોતાનું મિષ લઇને આપણને શીખવે છે, પણ કેટલાક તો જાણે છે જે, ભાઇ ! એ તો વાત મહારાજની.’ પછી એક જણે કહ્યું જે, ‘મહારાજને શું કરવું છે ? એટલું લઇએ તો લેવાય જે, સર્વના અંતરમાં રહીને જોઉં છું.’ તે પણ સ્વામી કહે,‘મોટા સાધુ પણ અંતરનું જાણે છે, તે કેટલાકને કહી પણ દીધું છે;ને વળી કહે છે. પણ વિશ્વાસ હોય તેને આ બધી વાતો મનાય.ને બીજા તો કહેશે,‘માન વધારવા સારુ કહે છે.’ ।।૨૫૦।।
read more