એક સાધુ રાઘવાનંદ તે પણ ભાગવત તાડ પત્રમાં લખેલ વાંચતા આંખમાંથી આંસુ પડતાં, ને માહાત્મ્ય પણ બહુ જાણતો,પણ મહારાજે એક ચોંટિયો લીધો એટલે વિમુખ થઇને ભાગી ગયો. જુઓ, એ ત્યારે એને કોઇ વાર ચીપટી નહિ આવી હોય ? ને માવતરે ચોંટિયો નહિ ભર્યો હોય ? પણ જ્ઞાન નહિ તેણે એમ થયું. માટે દિવ્યને વિષે તો સંશય ન જ થાય પણ મનુષ્ય ચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિષે પણ દિવ્યભાવ જણાય ત્યારે ખરો ભકત કહેવાય. કાં જે, એ તો કર્તા, અકર્તા ને અન્યથાકર્તા છે. એના ઉપર વળી શંકા શી ? આમ સમજે ત્યારે ચોખ્ખી સ્વરૂપનિષ્ઠા કહેવાય, ને બીજી કસર હોય તો ટળે પણઆ ખામી ભાંગે નહિ. ને મધ્યના તેરમાં વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે. ને બીજું તો હાથ-પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું છે તેમ સમજવું. તે સારુ એવી રુચિવાળા ગુરુ કરવા, ને એવાં જ શાસ્ત્ર વાંચવા,એમ કરીને સિદ્ધ કરવું. ।।૨૩૬।।
read more