આત્મા છે તે મહા તેજોમય છે ને આ જે સ્થૂળ, સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહ તે થકી જુદો માનીને એમ ધારવું જે,‘હું અક્ષર છું ને મારે વિષે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે સદાય વિરાજમાન છે. ‘તે વિશલ્યકરણીના (અંત્યના ૩૯)વચનામૃતમાં સર્વે વાત છે ને થોડી થોડી વાત તો સર્વે વચનામૃતમાં છે ને કોઇક બાકી હશે. એ આત્માનો મનન દ્વારાએ સંગ કર્યા કરવો જે,‘હું આત્મા છું, અક્ષર છું.’ એમ જો નિરંતર કર્યા કરે તો એ અક્ષરભાવને પામી જાય છે.તે ઉપર દષ્ટાંત દીધું જે, મહારાજે એક ઢેઢનો છોકરો હતો તેને કહ્યું જે,‘તું કોણ છો ?’ ત્યારે તે કહે જે,‘હું ઢેઢ છું.’ તો કહે,‘તું દશ વાર એમ કહે જે, હું આત્મા છું.’ પછી તેણે દશવાર એમ કહ્યું. વળી પૂછ્યું જે,‘તું કોણ છો ?’ તો કહે જે, ‘ઢેઢછું.’ વળી કહે જે, તું સો વાર કહે જે,‘હું આત્મા છું.’ ત્યારે તેણે સો વાર એમ કહ્યું; એટલે પૂછ્યું જે, ‘તું કોણ છો ?’ તો કહે જે,‘ઢેઢ છું.’ ત્યારે મહારાજ કહેઃ “જુઓને દેહ સાથે કેવો જડાઇ ગયો છે !” એમ કહીને કહે જે, જો આત્માનો મનન દ્વારે સંગ કર્યા કરે, તો અક્ષરરૂપ થઇ જાય છે. તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે જે,‘નિજાત્માનં બ્રહ્મરુપં’ એ શ્લોક બોલ્યા, અને પુરુષોત્તમપત્રીમાં પણ કહ્યું છે જે, “આત્માને અક્ષરરૂપ માને છે તે જ સત્સંગી […]
read more