આ વાત સારુ તો પછી રોશો. ઓહો ! આવા કયાંથી મળે ? વિષયમાં જોડે એવા તો મળે, પણ તોડે એવા કયાંથી મળે ? ને હું માં સહુ ને હેત થાય છે. તે શેણે ? તો કહે, હુંતો જે જેમ કહે તેમ કરું. આ કહે આમ, તો હું કહું હા એમ, આ કહે આમ, તો હા એ એમ. કોઇનું મરડું જ નહિ ત્યારે હેત રહે છે, પણ જીવનું ધાર્યું ફેરવે ને હેત રહે ત્યારે ઠીકને બીજું તો મરડું નહિ, પણ હા ! એક ધર્મની કોરનું મરડું, એમાં તો શુદ્ધ વર્તાવું. એક હરિભકતનું નામ લઇને કહ્યું જે, એ બહુ સારો હતો, પણ બેક કુસંગનો પાસ લાગી ગયો હતો, તે મેં આંહીં લાવી, રાખી ને બ્રહ્મરૂપ કરીને ધામમાં મોકલી દીધો. ।।૨૩૦।।
read more