Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૫
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૩

ઓહોહો ! આ ભરતખંડમાં આવો જોગ થઇ ગયો ! આ સાધુ, આ વાતો, આ ધર્મ જો ખરેખર ઓળખાય તો, ને આ સાધુ ઓળખાય તો કાંઇ કાચું નથી; ને આ વાતો તો કોઇને મળી નથી. ।।૧૯૩।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૪

અને આ દેહ હાડકાંનો, સ્ત્રીનો દેહ પણ હાડકાંનો ને છોકરાનો પણ હાડકાંનો, એમાં કાંઇયે માલ નથી. ને ચૂનો એ ધોળી ધૂળ ને આ બીજી અમથી ધૂળ. દેહ ધૂળનો, રૂપિયા ધૂળનાં, કુટુંબી ધૂળનાં, ખાવું ધૂળનું, ખોરડાં ધૂળનાં, એમ છે. ને એમાં જીવ માલ માનીને ચોંટ્યો છે. પણ કાળ ખાઇ જાશે માટે ભગવાન ભજી લેવા, બાકી બધું ધૂળનું છે. ।।૧૯૪।। read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯પ

ઓહો ! માણસ બધાં આ થાંભલાના દર્શન કરે છે; પણ કોઇ સાધુનાં નથી કરતાં ને કોટિ વાતની એક વાત છેઃ જે દિવસે ભગવાન અને આવા સાધુને નમશે તે દિવસે જ છૂટકો થવાનો.જે દિવસે અખંડ ભજન કરશે ને જે દિવસે દોષ મૂકશે તે દિવસે જ ભગવાનના ધામમાં રહેવાશે. કરોડ વાતની એ જ એક વાતછે. ।।૧૯૫।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૬

મન નવરું રહેતું નથી. લાખ ઘાટ કરે છે, પણ ઝાઝા રૂપિયા હોય તો કેટલું સુખ આવે ? ।।૧૯૬।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૭

અને આ ચાલ્યા, આ દેહમાં કાંઇ રહેવાશે ? આ દેહમાંતો નરક ભર્યું છે. જેને સારું ખવરાવો છો ને જો સંબંધીને આપો તો સારું બોલે, બહેનને પણ જો હમણા એક રૂપિયો ન આપ્યો હોય, તો હેતની ખબર પડે; આ બધુ સ્વારથિયું છે. એ આદિક ઘણીક વાતો કહી. ।।૧૯૭।। read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૮

અને વળી કહ્યું જે, જો તમે આવ્યા તો દર્શન થયાં. કરોડ જન્મ તપ કરીએ તોપણ આટલી વાતોના જેટલો સમાસ ન થાય, જો વિચાર હોય તો. માટે ભગવાન કે ભગવાનના જન પાસે ગયા વિના છૂટકો થાય નહિ ને જ્ઞાન પણ આવે નહિ. ને સો વર્ષ ભગવાન ભેળા રહીએ તોપણ સાધુ પાસે રહ્યા વિના સમજણ ન આવે. ને કોઇક મહારાજ પાસે આવીને થોડુંક બેસે ત્યાં મહારાજ કહેશે જે,‘મુકતાનંદસ્વામી પાસે જાઓ.’ એમ મોકલતા. પછી સ્વામી વાતો કરતા. તે માટે મોટા સાધુ સેવવા.પછી ભગવાનની પેઠે સેવવા યોગ્ય સાધુનાં લક્ષણ છેલ્લા પ્રકરણના છવ્વીસના વચનામૃતમાં છે તે વાંચો, એમ આજ્ઞા કરીને વંચાવ્યું. ।।૧૯૮।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૯૯

સંવત્ ૧૯૨૧ના પોષ સુદિ પૂનમે પ્રાતઃકાળમાં નવી ધર્મશાળામાં નિવાસ કર્યો. તે દિવસે વાત કરી જે, મહારુદ્રમાં પાટીદારને ભંગ કરવાનું હતું, તે મહારાજે આગળથી એક હાર સાધુની, એક હાર પાળાની, એક હાર હરિભકતની ને એક હારકાઠીની, એમ કોટની પેઠે કરીને પેસવા ન દીધા. તેમાં કહેવાનું શું છે ? જે જેમ એ કાઠીઓએ કકડાટી કરીને પેસવા દીધા નહિ, એમ આપણે ભજનની કકડાટી કરીને બીજું કાંઇયે પેસવા દેવું નહિ. ને ભગવાનનું રટણ કરવું તે ભેળું સાધુનું પણ રટણ કરવું, ને એમને એમ કર્યા કરવું. ।।૧૯૯।। read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૦૦

અને કેટલેક ઠેકાણે ધર્મ કરે છે તેમાં કરોડ મણ દાણા વાવરે છે, પણ એક અધશરે બરોબર ન આવે, ને એક અધશરે પણ એવું છે. જેમ ઋષિએ વનમાં સાથવા નીચાર પત્રાવળી પોતાને સારુ પુરી હતી, પણ જો  ઓલ્યા ઋષિ માગવા આવ્યા તેને દીધી તો તે ટાણે ચારે ખાઇ ગયા ને જ્યારે હાથ ધોયા ત્યારે તેમાં નોળિયો આળોટ્યો ત્યાં સોનાનો થઇ ગયો. ને પાંડવે યજ્ઞ કર્યો તેમાં ન થયો, કાં જે, એનું દ્રવ્ય એવું હતું.  શું જે? એ ધન તે મરુત રાજાનું લૂંટીને લાવ્યા હતા. ને ઓલ્યું થોડો જ સાથવો હતો; પણ મહેનત કરીને ભેળો કરેલ અને વળી શ્રદ્ધા સોતું દીધું, તેમ આગળ પાત્ર પણ એવું હતું; માટે પાત્ર જોઇ ને દાન કરવું. ।।૨૦૦।। read more
0 Views : 102
Powered By Indic IME