સંવત્ ૧૯૨૧ના કાર્તિક માસમાં વાત કરી જે, ‘જે ક્રિયા કરવી તેમાં ફળનું અનુસંધાન રાખવું તે કામનું ફળ જોવું, એ શું છે ? તેમજ ક્રોધનું, લોભનું, સ્વાદનું ને સ્નેહનું એ બધાનું જોવું. તે કહું તે સાંભળો જે, કામમાંથી ઇન્દ્રને હજાર ભગ થયા, ક્રોધમાંથી દુર્વાસાનું ભૂંડું થયું, માનમાંથી દક્ષનું ભૂંડું થયું, લોભમાંથી નંદરાજાને દુઃખ થયું, સ્વાદમાંથી શૃંગી ઋષિનું ને સ્નેહમાંથી સર્પ થાવું પડે છે, એવાં કેટલાક કહીએ ? એ માર્ગ જ ભૂંડો છે. માટે જે તે પ્રકારે દેહ નિર્વાહ કરીને સમાગમ કરી લેવો. ને આ લોકમાં તો નહિ જ રહેવાય, એમ ચાર વાર કહ્યું. બધું કરીએ ને સુખ માની બેઠા હોઇએ, પણ ભગવાન છે તે જ્યારે ઘાંટો ઝાલશે ત્યારે અન્ન કે પાણી નહિ ઉતરે. ’ ।।૧૮૬।।
read more