અને માન, કામ, ક્રોધમાં જીવ ભરાઇ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે ? ને ગ્રામ્યવાર્તાનું કહ્યું જે, ગ્રામ્યવાર્તા ત્રણ જણ હતા તે કરતા, તેને મહારાજ કહે જે, ‘આને અમ પાસે આવવા દેશો મા, એ ગ્રામ્યવાર્તા કરે છે.’ માટે પ્રયોજન માત્ર વાત કરવી, પણ બીજી રાજાની ને શાહુકારની તે શા સારુ કરવી જોઇએ ? ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિનાખાવું એ ધૂળ જેવું છે. માટે સાધુનો સમાગમ કરીને કામ, દેહાભિમાન ને ક્રોધ એ ટાળવા. ।।૧૭૮।।
read more