નૃસિહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા, તે પંચસંધિ મહિના એકમાં કંઠે કરી; પણ મૂર્તિ દેખાતી તે ન દેખાણી. પછી રોયા, તે મહારાજ કહે, ‘ભણવું મૂકી દિયો. પછી મૂર્તિ અખંડ રાખ્યામાં દાખડો બહુ પડશે.’ કેમ જે, આ જીવે પાપ ઘણાં કર્યા છે; તે પાપના કરોડ કોઠાર ભર્યા છે. તેમાંથી ભગવાને એક કોઠાર ફાડીને અર્ધાના ઇન્દ્રિયો, દેહ આદિ સમસ્ત કર્યું નેઅર્ધામાંથી તેનાં ભોગનાં સ્થાનક કર્યા, માટે એ બધુંય પાપ છે.કોઇ ઇન્દ્રિય-અંતઃકરણ ભગવાન ભજવા દે એવાં નથી, ને જીવતો એકલો છે, તે જો બળિયો થાય તો ભગવાન ભજાય; નીકર ભજવા દે એવા નથી, પણ જે દી તે દી આ કર્યે છૂટકો છે,એ સિદ્ધાંત છે. ને અંતરદષ્ટિ કરવી, તે ધીરે ધીરે કરવા માંડે તો થાય. તે એમ કર્યા વિના છૂટકો નથી. ।।૧૪૫।।
read more