એક સાધુએ પ્રસાદી ખાધી તે સારુ પંકિત બહાર કાઢેલ.પછી એક હરિભકતે મહારાજ આગળ કહ્યું કે, ‘કુરાનમાં લખ્યું છે જે, ખુદા સવારના પહોરમાં સાદ પડાવે છે જે, કોઇ ગુન્હેગારછે ? તો છોડી મૂકીએ.’ એમ કહ્યું ત્યારે મહારાજ કહે, ‘એ વાત સાચી છે.’ પછી હાથ જોડીને ઓલ્યા સાધુ દીન થઇ ગયા,એટલે તે ઉપર રાજી થઇ ગયા, તેમ છે.દીન થાવું; તો એ તો સારું કરવા જ ઊભા છે. પછી ઓલ્યો કહેઃ ‘તૈયે માફ કરજો ને કહેશો એમ કરવું છે, ને તમને રાજી કરવા છે, તે રૂડું થાય તેમ મુને કહેજો’ પછી કહેકે ‘ઠીક, ભજન કરવા માંડો.’ જુઓને, મારે ચેલા છે, પગ દાબે એમ છે, ઢોલિયો છે, ગાદલાં ને ખાધાનું છે, ને જે હું કહું તે તરત કરી દિએ એમ છે, પણ હું જો તે કરું અને કોઇને ન કરવાનું કહું તો મનાય નહિ ને સહુ કરે. તે લખ્યું છે જે,”ઋષભેદવ ભગવાન શિક્ષાને અર્થે સિદ્ધિઓને ન ગ્રહણ કરતાહવા.” એમ આપણે રહેવું. ।।૧૩૪।।
read more