Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૫
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૧

અને મોરે ઝાઝા માણસ મંદિરમાં નહિ, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારુ આપવા ગયો, ત્યારે એક જણે કહ્યું જે, ‘સાધુને લોભ તો જો ! પોતાના હાથે બાજરો દે છે પણ કોઇને આપવા દેતા નથી.’ ત્યારે જો એને કંઇ ખબર છે ? એમ ગમ પડતી નથી. ।।૧૨૧।। read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧રર

એકથી પચાસ માળા સુધી જો એકાગ્ર દષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નીકર તો સંકલ્પ થયા કરે. ।।૧૨૨।। read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૩

આવા સાધુનો ગુણ લે તે બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામેને અવગુણ લે તે ઘટી જાય, ને જડ થઇ જાય. ને મહારાજ કહે,‘ચોસઠ લક્ષણે યુકત એવા સાધુ તેનાં દર્શન એમ પણ કરવા ઇચ્છીએ’ ત્યારે જો ભગવાન પણ તેનાં દર્શન કરવા ઇચ્છે તો બીજાની શી વાત કહેવી ! તેવા સાધુ આપણને મળ્યા, તેનું આપણને ઓહોહો નથી થાતું. “સાચે સંત મીલે કમી કાહુ રહી, સાચી શીખવે રામકી રીતકુંજી ” એવા, ને કહે કે – તિન તાપકી ઝાલ જર્યો પ્રાણી કોઇ આવે; તાકું શીતલ કરત તુરત દિલ દાહ બુઝાવે. એવા, ને સાધવો હૃદયં મમ એમ કહ્યું છે. તેવા સાધુનો સમાગમ કરવો. હવે એવા સાધુ ને મહારાજ એ તો ઓળખાણા,પણ વિષયમાં રાગ રહી જાય છે એ વાતની ખોટ છે. તે ભગવાન પોતાના ધામમાં લઇ તો જાય, પણ એ વાસના રહેવા દેશે નહિ. હજાર કલ્પ સુધી રહીને પણ પાછું પડાશે, પછી પાછા ગર્ભવાસ,ચોરાશી, તાવ એ દુઃખ એના એ જ, માટે હમણાં જ ચોખ્ખું કરવું. જેમ હજાર કૂતરાં, મીંદડાં, ઊંટિયાં એ સડી ગયેલ પડ્યાં હોય, તે જેવાં ભૂંડાં લાગે તેવા વિષય લાગે ત્યારે થાય; તે સારુ આત્મનિષ્ઠા શીખવી. ।।૧૨૩।। read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૪

અને મહારાજ કહેઃ ‘વહાણનાં લાકડાં કેટલાંક તો લીધાં છે, ને કેટલાંક ઘડાય છે, ને કેટલાંક વહાણ તૈયાર થયાં છે, ને કેટલાંકમાં માલ ભરાણો છે, ને કેટલાંક અધવચાળે પૂગ્યાં છે, ને કેટલાંક તો પાર ઊતર્યા છે.’ એમ આપણા સત્સંગમાં માણસનું છે. ।।૧૨૪।। read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧રપ

અહોહો ! ભગવાન સંગાથે આમ કરવું તે અમારો તોઆવો ઠરાવ જે- “નેણ કુરંગા નાગરી, વરું તો વ્રજરાજ, નીકર રહું કુંવારી” “સો માથાં જાતાં રે સોંઘા છોગાળા” “એક શિરકે વાસ્તે કયું ડરત હે ગમારા” “ડોલરિયા ઘોળ્યો રે કે તમ ઉપર દેહડો ” એવા ઠરાવ કરવા ત્યારે ભગવાન રાજી થાય, ‘અર્થંસાધયામિ કે દેહં પાતયામિ’ ત્યારેએ કામ સિદ્ધ થાય છે. ।।૧૨૫।। read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૬

અને ‘આવા સાધુને કાંઇ મનુષ્ય કે દેવ જેવા ન જાણવા.આ તો મહામોટા છે. માટે સમાગમ કરવો, એ વાત રહી જાશે તો પછી શું કામ આવશે ? ઘોળ્યું મંદિરના રોટલા ખાઇને પણ આનો જોગ કરી લેવો. ઘણોય બાજરો છે તે આવો તો હું આપીશ.’ એમ દયા કરીને કેવળ જ્ઞાન દેવું એ જ આગ્રહ,ને વળી બોલ્યા જે, ‘તમે સાકરની રસોઇ દેશો તેમાં શું ? આગળ એક મણની હજાર મણ દેશું, પણ તેણે કાંઇ કામાદિક શત્રુ ઓછા થાય નહિ, મૂળગા વધે તો ખરા, તે માટે સમાગમ કરી લેવો,એ જ સિદ્ધાંત છે.’ ।।૧૨૬।। read more
0 Views : 71

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૭

આ તો તમને ઘડી ઘડી પોરો દઉં છું, નીકર રાત નેદિવસ એમને એમ કથાવાર્તા કર્યા કરું, પણ બીજાને મૂંઝવણ પડે, તે સારુ ઘડીક ભકિત, ઘડીક કીર્તન, કથા-વાતો, ધ્યાનએ બધું ફરતું ફરતું કરવું, તેથી મૂંઝવણ થાય નહિ. ।।૧૨૭।। read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૮

સ્તુતિ-નિંદાના (લોયા-૧૭) વચનામૃતમાં કહ્યું છે જે,‘જેને ભગવાનનું માહાત્મ્ય સમજાણું હોય તેને સારા વિષય મળેતો તેમાં મૂંઝાઇ જાય.’ ત્યારે એક સાધુએ પૂછ્યું જે, ‘સારામાં મૂળગો કેમ મૂંઝાય ?’ એટલે સ્વામી કહેઃ ‘ઓલ્યા બીજા જેમ નરસામાં મૂંઝાય, તેમ એ સાધુ સારામાં મૂંઝાય, કેમ જે, એણે આગળથી જ રાખ કરી મૂકયું હોય પછી શું કઠણ પડે ? ને અમારે આટલું આસન નહોતું રાખવું, પણ સાધુએ કહ્યું એટલે રાખ્યું; પણ ગમે નહિ ને સહુ આસન જેટલું નાખે છે એટલું નાખ્યું, તે ગઢપણ સારુ, તે વગર પણ ચાલે, ધરતી જેવું તો સુખ જ નહિ. ને વાહને પણ ઝાઝું ન ચલાય, તે સારુ જેવું તેવું હોય તે ઉપર બેસીએ, પણ તેમાં વળી તાલ શા ? ને આ મહોલાત, ધર્મશાળા પણ ન ગમે ને આ તો આજ્ઞા એટલે શું કરવું ? નીકર આમાં શું માલ છે ? સેવા થાય એટલો માલ, નીકર તો વન બહુ ગમે.’ ।।૧૨૮।। read more
0 Views : 98
Powered By Indic IME