વળી કથામાં સભા ટાણે કેટલાક રહેતા નથી ને બબ્બેઆસન રાખે છે, તે શું જાણતા હશે ? આવા કહેનારા નહિમળે. તે ગોપાળાનંદસ્વામી હતા ત્યારે પણ એની મંડળીના સાધુપણ કોઇ ન રહેતા; ને બીજા બેઠા હોય, એમ છે. તે જયાંસુધી ત્રણ પેઢી હોય ત્યાં સુધી ખરેખરું રહે; તે થઇ રહ્યું. હવેત્રણ થઇ ત્યાં તો માણસ મંડી પડ્યું છે; પણ સાધુતા રાખવી,એમ ન કરવું. ને મોટા સાધુ છે ત્યાં સુધી ઠીક છે, ને પછીતો ગૃહસ્થને બાયડી, છોકરા, રૂપિયા ને ખાવું ને ત્યાગીને દેહ,ચેલો ને ખાવું એ ત્રણ. ને બેનો જોગ જ નથી એમાં શું ?તુલસી સો નર ચતુર હે, રામચરન લેલીન;પરધન પરમન હરનકું, વેશ્યા બોત પ્રવીન .સુખ તો ભગવાનની મૂર્તિ, આજ્ઞા ને એકાંતિક સાધુ એમાં છે.સંસારમાં સરસો રહે ને મન મારે પાસ;સંસાર જેને લોપે નહિ, તે જાણ હરિનો દાસ.એ ખોટું છે. એ તો “અનેકચિત્ત વિભ્રાંતા” એમ થયું. બે ઘોડેએક જણથી ન બેસાય.ચિત્તકી વૃત્તિ એક હે, ભાવે તહાં લગાઓ;ચાહે તો હરિકી ભકિત કરો, ચાહે તો વિષય કમાઓ .બે બે વાત ન બને જે, ‘લોટ ખાવો ને ભસવું’ એમ છે.ને ઓલ્યા કાઠીવાળું ન કરવું જે, ‘આસે તાળો બગડતો ને ઓંસેતાળો બગડતો’ એમ નહિ, ઓલ્યું તો બગડેલું જ છે. મંદિરમાંમોટા સાધુ પાસે શાંતિ રહે તેવી ઘરે પણ ન રહે, એમ સૌનેછે, પણ ઉનાળામાં ટાઢું હોય કે […]
read more