ધર્મશાળા કરવાનું કામ કરાવીએ છીએ તેમાં કહીએ છીએ જે આજ્ઞાએ કરીને ધર્મશાળાઉ તો અનંત કરીએ, પણ તેમાં બંધાવું નહિ, ને બંધાવું તો ભગવાન અને સાધુ એ બેમાં જ બંધાવું. ૬૫ read more
નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઇ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે, તે કેને સુખ આવે ? તો જેને તેમાં હેત હોય તેને આવે. ૬૯ read more
કોટિ કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને અને ઘરના માણસને નથી ગમતો, તેમજ દેહ, ઇન્દ્રિયો અને અંતકરણને પણ નથી ગમતો, એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કુટે છે જે ‘મારા હાથથી ગયો.’ ૭૦ read more
આપણું દર્શન કરશે તેનું પણ કલ્યાણ થાશે, પણ બહુ મહિમાં કહીએ તો કોઇ વર્તમાન પાળે નહિ. ને આ તો મુકતે દેહ ધર્યો છે, ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકર તો દેહ રહે નહિ. ૭૨ read more