જ્યારે દુર્યોધનને અને પાંડવને કજીયો થવાનો આદર થયો, ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે, જે ‘અમે કૃપાચાર્યમાં, દ્રોણાચર્યમાં, અને ભીષ્મપિતા આદિકમાં પ્રવેશ કરશું માટે યુદ્ધ કર.’ એમ કહ્યું તેમાં કહેવાનું શું છે ? જે આપણામાં કામ કોધ્રાદિક માંહિલા દોષ આવીને પ્રવેશ કરે ત્યારે મોટાનો અવગુણ આવે ને ન કરવાનું પણ થાય, ત્યારે જાણવું : જે ‘મારામાં દૈત્યે પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી’ એમ સમજવું. ૬૩
read more