ભગવાનના ભકતને વિષયસુખ મળે એ જ નરક છે. તે ભકતનું લક્ષણ કહ્યું છે: જે – કુંતાજી દુ:ખ માગં કે લીનો એહિ ભકતકી રીતિ વે । વિષયઆનંદ ન લહે સ્વપ્નમેં જાહિ પ્રભુપદ પ્રીતિ વે ।। – એ ભકતનું લક્ષણ છે. ૪૯ read more
આ સર્વે કામ મૂકી મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ, તે શું ? જે જમપુરી, ચોરાશી ને ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. ૫૦ read more
વાછડાને દૂધનો સ્વાદ છે ને ઇતડીને લોહીનો સ્વાદ છે તેમ ખાવાપીવાનું સુખ ને માન મોટાઇનું સુખ તે લોહી જેવું છે અને- નિજાત્માનં બ્રહ્મરુપં દેહત્રયવિલક્ષણમ્ । વિભાવ્ય તેન કર્તવ્યા ભકિતઃ કૃષ્ણસ્ય સર્વદા ।। એ સુખ દૂધ જેવું છે. ૫૫ read more
ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુ:ખ આવી પડે તોપણ એમ સમજવું જે, ‘દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું’ એમ સમજીને સુખીયો રહે. ૫૬ read more