Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૯

ભગવાનના ભકતને વિષયસુખ મળે એ જ નરક છે. તે ભકતનું લક્ષણ કહ્યું છે: જે – કુંતાજી દુ:ખ માગં કે લીનો એહિ ભકતકી રીતિ વે । વિષયઆનંદ ન લહે સ્વપ્નમેં જાહિ પ્રભુપદ પ્રીતિ વે ।। – એ ભકતનું લક્ષણ છે. ૪૯ read more
0 Views : 130

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૦

આ સર્વે કામ મૂકી મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ, તે શું ? જે જમપુરી, ચોરાશી ને ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. ૫૦ read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૧

આ તો બળિયા છે તે ગમે એવી વાસના હશે તોપણ અંતકાળે હીરજીની પેઠે નસ્‍તર મારીને દેહની ખબર રહેવા દેશે નહિ, ને વાસના ટાળી નાખે એવા છે. ૫૧ read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પર

મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિ જીવને બગડવાના હેતું છે, માટે તે સમજી રાખવું. ૫૨ read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૩

નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિને પામે નહિ, ને જ્ઞાન તો સાધુસમાગમથી જ થાય. ૫૩ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૪

શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્વિત કહ્યાં છે, તે સર્વે આવા સાધુના સમાગમ અને દર્શને કરીને નિવૃત થઇ જાય છે, એવું આ દર્શન છે.  ૫૪ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પપ

વાછડાને દૂધનો સ્‍વાદ છે ને ઇતડીને લોહીનો સ્‍વાદ છે તેમ ખાવાપીવાનું સુખ ને માન મોટાઇનું સુખ તે લોહી જેવું છે અને- નિજાત્માનં બ્રહ્મરુપં દેહત્રયવિલક્ષણમ્ । વિભાવ્ય તેન કર્તવ્યા ભકિતઃ કૃષ્ણસ્ય સર્વદા ।। એ સુખ દૂધ જેવું છે. ૫૫ read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૬

ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુ:ખ આવી પડે તોપણ એમ સમજવું જે, ‘દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું’ એમ સમજીને સુખીયો રહે. ૫૬ read more
0 Views : 90
Powered By Indic IME