Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૧

પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે. ને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે. પ્રેમીનું તો ભગવાનને અને સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ. ૪૧ read more
0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪ર

કોઇક લોભ મૂકે, સ્‍વાદ મૂકે, સ્‍નેહ મૂકે, અને માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહિ ને રુપ જેવું તો કોઇ બળવાન નથી, ને એ વિષય તો જીવ માત્રમાં રહ્યો છે, તે તો મોટા અનુગ્રહ કરે ત્‍યારે ટળે, પણ તે વિના ટળે નહિ. ૪૨ read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૩

અને તપાસીને જોયું, તો આ જીવ કોઇ દિવસ ભગવાનને માર્ગે ચાલ્‍યો નથી, સાવ નવો જ આદર છે. જીવ માત્રને ખાવું, સ્ત્રી અને ધન એ ત્રણનું જ ચિંતવન છે, ને એનું મનન, એની જ કથા, એનું જ કીર્તન, એની જ વાતું ને એનું જ ઘ્‍યાન છે. તેમાં પણ દ્રવ્‍યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે, બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ પ્રાણીમાત્રને ચિંતવન છે. કેમ જે ભગવાને માયાનો ફેર ચડાવી મૂકયે છે. એનું ચિંતવન ન થાય એ તો દેવનો દેવ છે, પણ એ મનુષ્ય નથી. ખાવું, સ્ત્રી ને ઊઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવો પડતો નથી, જેમ નદીયુંના પ્રવાહ સમુદ્ર સંમુખ ચાલે છે એમ જીવને વિષય સંમુખ ચાલવાનો ઢાળ છે, અને તેમાંથી પાછું વળાય એ તો સાધુનું છે. ૪૩ read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૪

આ દેહમાં ને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોટવા નહિ દે. જેમ રવજી સુતારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહિ, ને પછી સંસારમાંથી તોડીને છેલ્‍લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહિ દે. ૪૪ read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪પ

દેહમાં રોગાદિક દુ:ખ આવી પડે તો તેના મોકલનારા ટાળે ત્‍યારે ટળે, પણ બીજા કોઇથી ટળે નહિ. જેમ રાજાનો મોકલેલો મોશલ આવે તે તો તેની ચીઠ્ઠી આવે ત્‍યારે ઉઠે, પણ ગામના માણસથી ઉઠે નહિ, એમ સમજવું. ૪૫ read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૬

વિષયનો તિરસ્‍કાર તો અક્ષરધામમાં છે, ને શ્વેતદ્વીપમાં છે, ને બદરિકાશ્રમમાં છે ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે, એ ચાર ઠેકાણા વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે. ૪૬ read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૭

ભગવાનનું ધામ ગુણાતીત છે, ને જીવને ગુણાતીત કરવા છે, ને આપણે આ જ્ઞાન સાંભળ્‍યું છે તે બીજે કયાંઇ બનશે નહિ. આપણે બીજે ન રહેવાય, ને આ મળ્‍યા છે તે પણ મૂકે એવા નથી, એવું એને આવડે છે. ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેતદ્વીપ ને તેની આણીકોર્યના કોઇ પૂગતા નથી. અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે. ને આની આગળ બીજાનું ત્રાન તો ફટાકિયા જેવું છે, એ તો કહ્યું છે જે, ‘જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્‍યાના શ્‍યામ સુજાણ’ એવા છે. એ પ્રકારે મહિમા બહુ કહ્યો. ૪૭ read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૪૮

બદરિકાશ્રમના ને શ્વેતદ્વીપના મુકતને ત્‍યાગ-વૈરાગ્‍યનું બળ છે, ને ગોલોકના ને વૈકુંઠના મુકતને પ્રેમ મુખ્‍ય છે, ને અક્ષર ધામના મુકત બ્રહ્મરુપ છે. ૪૮ read more
0 Views : 125
Powered By Indic IME