અને તપાસીને જોયું, તો આ જીવ કોઇ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો નથી, સાવ નવો જ આદર છે. જીવ માત્રને ખાવું, સ્ત્રી અને ધન એ ત્રણનું જ ચિંતવન છે, ને એનું મનન, એની જ કથા, એનું જ કીર્તન, એની જ વાતું ને એનું જ ઘ્યાન છે. તેમાં પણ દ્રવ્યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે, બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ પ્રાણીમાત્રને ચિંતવન છે. કેમ જે ભગવાને માયાનો ફેર ચડાવી મૂકયે છે. એનું ચિંતવન ન થાય એ તો દેવનો દેવ છે, પણ એ મનુષ્ય નથી. ખાવું, સ્ત્રી ને ઊઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવો પડતો નથી, જેમ નદીયુંના પ્રવાહ સમુદ્ર સંમુખ ચાલે છે એમ જીવને વિષય સંમુખ ચાલવાનો ઢાળ છે, અને તેમાંથી પાછું વળાય એ તો સાધુનું છે. ૪૩
read more