સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહી, કેમજે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, તોપણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો, માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે. કેમજે ઉદ્ધવજી જ્ઞાની ને તેને ભગવાનમાં નિર્દોષપણું, પણ તેને ઘર મૂકતાં કઠણ પડયું, માટે તે કરતાં પણ જડભરત ને શુકજીની સમજણ અધિક, કેમજે એને સ્ત્રી પુરુષ એવો ભાવ નહિ. ૩૬
read more