Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- રપ

જેટલું કાંઇ માયામય સુખ છે તે સર્વે દુ:ખ વિનાનું હોય નહિ, માટે એ વાત પણ એક જાણી રાખવી. ૨૫ read more
1 Views : 132

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૬

વિષયનું જે સુખ છે તે કરતાં આત્‍માનું સુખ બહુ અધિક છે, ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણિ છે. ૨૬ read more
0 Views : 139

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૭

એક જણે લાખ રુપિયાની બુદ્ધિ લીધી, તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શિખાય છે. ૨૭ read more
0 Views : 131

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૮

હીરો છે તે કોઇ રીતે ફુટે નહિ. પણ તે માંકડના લોહીથી ફુટે, તેમ વાસના કોઇ રીતે ટળે નહી, પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે, ને એની ક્રિયા ગમે તો તેથી ટળે, નીકર સાધન તો સૌભરિ આદિકનાં કેવાં ! તોપણ વાસના ટળી નહિ. ૨૮ read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૯

સત્‍સંગ થાય પણ સંગ વિના સત્‍સંગનું સુખ ન આવે, કેની પેઠે ? તો જેમ ખાધાનુ મળે પણ ખાધા વિનાનું સુખ ન આવે, જેમ લુગડાં, ઘરેણાં મળે તોપણ પેર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્‍સંગનુ સુખ આવે નહિ. ૨૯ read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦

અને આવા સાધુને મનમાં સંભારીએ, તો મનનાં પાપ બળી જાય. ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો. ૩૦ read more
0 Views : 139

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧

આથી કરોડ ગણો સત્‍સંગ થાશે ને આથી કરોડ ગણાં મંદિર થાશે, પણ આ વાતું ને આ કથા નહિ મળે. ને વ્‍યવહાર પ્રધાન થઇ જાશે, માટે સહેજે સહેજે કરવું ને આ કારખાનાં તો બ્રહ્માંડ રહેશે ત્‍યાં સુધી ચાલશે, માટે કથાવાર્તા કરવા સાંભળવાનો અભ્‍યાસ રાખવો. ને આપણે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય ને ભકિત એ ચારે વાત રાખવી, પણ એક જ મુખ્‍ય ન કરવું. ૩૧ read more
0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર

ત્‍યાગ, વૈરાગ્‍ય, નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્‍યા : જે ત્‍યાગ વૈરાગ્‍યને શું કરવાં ? ગમે તેવો જીવ હશે પણ ભગવાનના ભકતમાં આત્‍મબુદ્ધિ એ જ સત્‍સંગી છે. ને તે વિના તો ગમે તેટલી ભકિત કરે તો પણ શું ? ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શુ ? માટે ભગવાનના ભકતમાં આત્‍મબુદ્ધિ એ જ સત્‍સંગ છે. ને સત્‍સંગ તો રાત્રિપ્રલય સુધી કરશુ ત્‍યારે થાશે, પછી તેને દેશકાળ નહિ લાગે, એવો સત્‍સંગ કરવો છે. ૩૨ read more
0 Views : 171
Powered By Indic IME