આપણે તો ભગવાન મળ્યા છે તે પોતાને અક્ષર માનવું એમ બોલ્યા, તે ઉપર પ્રશ્ન પૂછયું : જે વિષય પરાભવ પમાડતા હોય ને અક્ષર કેમ માનવું ? તેનો ઉત્તર કર્યો: જે વિષય તો દેહના ભાવ છે તે એક પડખે રહ્યા છે, તો પણ અક્ષર માનવું, પણ આત્માને નરકનો કીડો માનવો નહિ. ને આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જાઇએ છીએ. ૨૮૩
read more