Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૩

ઝીણાભાઇએ મહારાજ પાસે જૂનાગઢમાં મંદિર કરવાનું માગ્‍યું તે પણ પોતે ઉપજાવ્‍યું હશે, તે આંહી મંદિર કર્યું ને તેમાં સાધુ પણ એવા જ રાખ્‍યા છે. તે આ મંદિરમાં ખરડો તો હજી સુધી કર્યો નથી. ૨૭૩ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૪

આ લોકમા સર્વે ક્રિયા તે છોકરાંની રમત જેવું સમજવું, પણ તેમાં માલ માનવો નહિ. એમ નિરંતર જોયા કરવું. ૨૭૪ read more
0 Views : 69

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭પ

અને મહારાજ કહેતા : જે ‘અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ : જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ તેનું અમને માન ન આવે, એ અમારામાં ગુણ છે. ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ, પણ મુકતાનંદ સ્‍વામી ને ગોપાળાનંદ સ્‍વામીને સમાધિ કરાવીએ નહિ એ અમારામાં અવગુણ છે.’ ૨૭૫ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૬

કોઇ ભગવાન સંભારે તેની સેવા મારે કરાવવી છે તેનાં લુગડાં મારે ધોવરાવવાં છે ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે. ૨૭૬ read more
0 Views : 72

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૭

અને કથાવાર્તા બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ, અક્ષરધામ ને આ લોકમાં મોટા એકાંતિક પાસે એ ચાર ઠેકાણે થાય છે ને બીજે કયાંય થાતી નથી, ને જ્યાં વિષય છે ત્‍યાં કથા-વાર્તા નથી. ૨૭૭ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૮

અને આપણે કાંઇક કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આવતું હોય, તે સારુ મોટા કહે જે આ કામ બગાડયું, તો પણ રાજી રહેવું, કેમ જે આપણને તો પૂર્વાપર સૂઝે નહિ ને મોટા તો દીર્ધદર્શી છે તે આગળ થાવાનું દેખે છે. ૨૭૮ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૯

અને સાંખ્‍યવિચાર કરવાની બહુ વાત કરી : જે સાંખ્‍ય વિચાર તો નિત્‍યે નિયમ રાખીને કરવો. ને સાંખ્‍ય વિના સુખ થાય નહિ, ને સાંખ્‍ય છે તે તો આંખ છે. તે આંખે કરીને સર્વે દેખાય. ને દત્તાત્રેય સાંખ્‍યવાળા તેને સુખિયા રહેતા આવડે, માટે સાંખ્‍ય વિચાર કરવા માંડે તો ધીરે ધીરે સિદ્ધ થાય, તેમાં સાંખ્‍ય શુ ? જે આ લોગ-ભોગ સર્વ ખોટું છે ને આત્‍મા છે તે સત્‍ય છે ને આકાશ સરખો નિર્લેપ છે, ને દેહ, ઇન્‍દ્રિયો, અંત:કરણ થકી અસંગી છે. ૨૭૯ read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૦

જેણે ભગવાનને અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઇ જાય, પણ તે ભગવાનમાં ચોટે નહિ, એ તો જેમ તરવાર સજે છે, તેમ સાધુ વાત કરીને સજે તે કેડે ભગવાનમાં ચોટે. માટે જ્ઞાન શીખવું એ શ્રેષ્‍ઠ છે. ૨૮૦ read more
0 Views : 69
Powered By Indic IME