અને સાંખ્યવિચાર કરવાની બહુ વાત કરી : જે સાંખ્ય વિચાર તો નિત્યે નિયમ રાખીને કરવો. ને સાંખ્ય વિના સુખ થાય નહિ, ને સાંખ્ય છે તે તો આંખ છે. તે આંખે કરીને સર્વે દેખાય. ને દત્તાત્રેય સાંખ્યવાળા તેને સુખિયા રહેતા આવડે, માટે સાંખ્ય વિચાર કરવા માંડે તો ધીરે ધીરે સિદ્ધ થાય, તેમાં સાંખ્ય શુ ? જે આ લોગ-ભોગ સર્વ ખોટું છે ને આત્મા છે તે સત્ય છે ને આકાશ સરખો નિર્લેપ છે, ને દેહ, ઇન્દ્રિયો, અંત:કરણ થકી અસંગી છે. ૨૭૯
read more