Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬પ

ને પ્રકૃતિપુરુષ કુટસ્‍થ કહેવાય ને ગૃહસ્‍થ પણ કુટસ્‍થ કહેવાય ને સાંખ્‍યવિચાર ને જ્ઞાનને મતે કરીને નિર્લેપ પણ કહેવાય. ૨૬૫ read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૬

આજ આપણામાંથી એકલમડ કરીને કાઢી મૂકયો હોય તો પણ જગતનો પ્રભુ છે, તે આજનાનો એવો મહિમા છે. ૨૬૬ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૭

અને શ્રીકૃષ્ણ ને બાણ લાગ્‍યાં એ પણ ભગવાનનું કર્તવ્‍ય સમજવું, ને પ્રહલાદને ન વાગ્‍યાં તે પણ ભગવાનનું કર્તવ્‍ય સમજવું. ૨૬૭ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૮

દેશકાળ આવે તો સત્‍સંગીના ગામડામાં પડયા રહીને ગુજરાન કરીએ, ને મરવાની તો બીક ન લાગે, ને કલ્‍યાણ તો ત્‍યાગી ને ગૃહસ્‍થ એ બેયમાં છે. ૨૬૮ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૯

અને હરિભકતને વાતો કરવાની આજ્ઞા કરી : કે વાતો કરજો તે વાતો તે શું ? જે ‘સ્‍વામિનારાયણ ભગવાન છે’ ‘સ્‍વામિનારાયણ ભગવાન છે.’ એમ વાતો કરજો. ૨૬૯ read more
0 Views : 75

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૦

અને ભગવાન તો ત્રીશ વર્ષ સત્‍સંગમાં રહ્યા ને હવે સાધુરુપે દશ વીશ પેઢી રહેશે. ૨૭૦ read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭૧

અને જૂનાગઢના જમાન મહારાજ બે વાર થયા છે. એક વાર વરતાલમાં ને બીજીવાર ગઢડામાં એમ કહ્યું. તે ઉપર એક સંતે પૂછયું : જે જમાન થયા તે શું સમજવું ? ત્‍યારે સ્‍વામી બેલ્‍યા : જે માયાનું બંધન થાવા દે નહિ. પછી ફરીને સંતે પૂછયું : જે તે જમાનગરું કયાં સુધી રહેશે ? પછી સ્‍વામી બોલ્‍યા : જે આપણે છીએ ત્‍યાં સુધી તો ખરું, પણ હજી તો મહારાજનું જ્ઞાન છે. ને વળી મહારાજ કહે: કે ‘જૂનાગઢ જાય તેની કરોડ જન્‍મની કસર ટાળી નાખશું’ અને અમે ગઢડેથી આવ્‍યા ત્‍યારે એ ભાતું બંધાવ્‍યું હતું. ૨૭૧ read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૭ર

અને મુંઝવણ આવે તો કેમ કરવું ? એ પશ્ન પૂછયું, તેનો ઉત્તર કર્યો : જે સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ ભજન કરવું તેથી મુંઝવણ ટળી જાય. ૨૭૨ read more
0 Views : 84
Powered By Indic IME