Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૯

અને જેનું કર્યું થાય છે તે તો જાણીએ કાંઇ જાણતાં જ નથી, ને વચમાંથી બીજા કેટલાક મનસૂબા કરે છે. ૨૪૯ read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૦

અને કોટિ કલ્‍પ થયા વિષય ભોગવ્‍યા છે તેનો પાસ લાગ્‍યો છે, તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં ‘નિજાત્‍માનમ્ બ્રહ્મરુપં’ એ શ્લોક લખ્‍યો છે. ૨૫૦ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૧

શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કહ્યા છે તે ખરું નથી, ભગવાન તો ભકતના છે પણ અભકતના નથી, માટે સમદર્શી નથી. ૨૫૧ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પર

ભગવાન પોતાના ભકતમાં રહે છે તે પણ પાત્ર પ્રમાણે રહે છે તે જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે. ૩૫૨ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૩

ભગવાન શૂળીનું દુ:ખ કાંટે મટાડે છે, એમ કરે તે કેમ જણાય ? એનો ઉત્તર : જે એ જેવું તો આપણે કેટલુંક થાતું હશે, ને બ્રહ્માંડમાં પણ થાય, તે તપાસી જુએ તો જણાય, જે કાળ માંથી સુકાળ કર્યો ને કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. ૨૫૩ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૪

અને આ લોકમાં દેશકાળ તો લાગે, ને ઓછું વર્તાય, વધુ વર્તાય પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે. ૨૫૪ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પપ

આવી વાત તો કયાંય થાતી નથી, માટે વિષય તો ખોટા થઇ ગયા છે ને વાસના જેવું જણાય છે તે દેહધારીને એમ હોય, તેમાં સદાશિવની હવેલીનું દ્ષ્‍ટાંત દીધું તથા ભગવાનની ઇચ્‍છા સમજવી. ૨૫૫ read more
0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૬

આપણે પોતાના સ્‍વરુપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્‍થૂળ દેહને પોતાનું માનવું નહિ, ને મહારાજનો મત તો ત્રણે દેહને ન માનવાં ને અક્ષર માનવું. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્‍મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્‍યા તે અક્ષર માનવું.  ૨૫૬ read more
0 Views : 88
Powered By Indic IME